સિંગર Kinjal Rabari એ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને DYCM હર્ષભાઈ સંઘવી પાસે શું મદદ માંગી?
- કિંજલ રબારી (Kinjal Rabari) નો વધુ એક વીડિયો વાયરલ (Viral Video)
- કિંજલ રબારીએ સમાજના આગેવાનો સામે ઉઠાવ્યા સવાલ
- વિધાનસભા ધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને DYCM હર્ષભાઈ સંઘવી પાસે મદદ માંગી
- સમાજના આગેવાનોની ધમકી મામલે કિંજલ રબારી હવે કાયદાકીય લડત પણ આપશે
Kinjal Rabari Love Marriage Controversy : પાટણ (patan) ની જાણીતી લોકગાયિકા (Folk Singer) કિંજલ રબારી (Kinjal Rabari) ના પ્રેમ લગ્નનો (Love Marriage) વિવાદ હાલ સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તાજેતરમાં કિંજલ રબારીનો વધુ એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેમાં તેમણે સમાજના આગેવાનો (Community Leaders) સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને ન્યાયની માંગ કરી છે.
કિંજલ રબારી (Kinjal Rabari) નો વધુ એક વીડિયો વાયરલ (Viral Video)
કિંજલ રબારીએ પોતાના વીડિયોમાં પક્ષપાત (Discrimination) અંગે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સમાજના કડક નિયમો (Strict Rules) માત્ર દીકરીઓ પર જ કેમ લાગુ કરવામાં આવે છે? તેમણે પ્રશ્ન કર્યો હતો કે દીકરા અને દીકરીઓ માટે કાયદા સમાન (Equal Laws) હોવા જોઈએ. ખાસ કરીને સોશિયલ મીડિયાના ઉપયોગ પર માત્ર યુવતીઓ માટે જ પ્રતિબંધ (Restriction) મુકવાની માનસિકતા સામે તેમણે વિરોધ નોંધાવ્યો છે.
Singar Kinjal Rabari : કિંજલ રબારીનો મોટો ધડાકો । Gujarat First
પાટણના સીનાડ ગામની કિંજલ રબારી ફરાર
કિંજલ રબારીના પલાયનથી પરિવાર અને સમાજમાં રોષ
કિંજલ રબારીએ પોતાના પ્રેમી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા #KinjalRabari #GujaratiSinger #KinjalRabariMarriage #GujaratiMusic… pic.twitter.com/cIPZ6ikvPg— Gujarat First (@GujaratFirst) March 13, 2026
કાયદાકીય લડતની ચીમકી
પોતાની પસંદગી મુજબ લગ્ન કરવા બદલ જો સમાજ કે આગેવાનો દ્વારા હેરાનગતિ (Harassment) કરવામાં આવશે, તો તેમણે કાયદાકીય લડત (Legal Battle) આપવાની સ્પષ્ટ તૈયારી બતાવી છે. કિંજલ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે, તેઓ ડર્યા વગર પોતાની મરજીથી કરેલા લગ્ન પક્ષે મક્કમ છે અને વિરોધ કરનારા તત્વોને કાયદાકીય રીતે જવાબ આપશે.
સરકાર પાસે મદદની ગુહાર
આ મામલે ગંભીરતા જોતા, ગાયિકાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ (Speaker of the Legislative Assembly) શંકરભાઈ ચૌધરી અને ગૃહ રાજ્ય મંત્રી (Minister of State for Home Affairs) હર્ષભાઈ સંઘવી પાસે રક્ષણ અને મદદની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે સમાજે પરિવર્તનને સમજવાની (Understand) જરૂર છે, નહીં કે તેને દબાવવાની.
આ પણ વાંચો : Bhavnagar: દેશના રક્ષકનો ઘરમાં જ આપઘાત! આર્મી જવાને વતનમાં કેમ ભર્યું આત્મઘાતી પગલું?


