Patan Crime News: પાટણ જિલ્લાના ગોખાંતર ગામમાંથી માનવતાને શર્મસાર કરતી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક કળિયુગી પુત્રએ પોતાના જ પિતાની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
Patan માં પુત્રએ જ કરી દીધી પિતાની હત્યા
પાટણના ગોખાંતર ગામે પારિવારિક ઝઘડાએ લોહિયાળ વળાંક લીધો છે. મળતી માહિતી મુજબ, જમાલશા ફકીર નામના વ્યક્તિની તેમના જ પુત્ર અલ્તાફે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ પુત્રનું કામ-ધંધો ન કરવું તે હતું.
શું બની હતી સમગ્ર ઘટના ?
થોડા સમય અગાઉ જ અલ્તાફના લગ્ન થયા હતા. લગ્ન પછી પણ અલ્તાફ કોઈપણ પ્રકારનો કામ-ધંધો કરતો ન હતો અને નકામો ફરતો હતો. આ બાબતને લઈને પિતા જમાલશા ફકીરે તેને ઘણીવાર ઠપકો આપ્યો હતો અને કામ-ધંધે લાગવા માટે સમજાવ્યો હતો. આ સામાન્ય લાગતી વાત પિતા-પુત્ર વચ્ચેના ઝઘડાનું કારણ બની. આ બાબતે પિતાએ પુત્રને ઠપકો આપતા અલ્તાફ ઉશ્કેરાઈ ગયો હતો અને આવેશમાં આવીને તેણે પોતાના જ પિતાની હત્યા કરી નાખી હતી.
પોલીસ તપાસ
ઘટના બાદ આરોપી પુત્ર અલ્તાફ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો છે. પિતાની હત્યાના સમાચાર ફેલાતા જ ગોખાંતર ગામમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. હાલ પાટણ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને ફરાર પુત્ર અલ્તાફને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. એક પિતાએ જે પુત્રને ઉછેર્યો, તે જ પુત્રએ પિતાનો જીવ લેતા સમાજમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Bhavnagar politics News: 2027 માં પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી લડશે ચૂંટણી, કોળી સમાજ આગેવાન પ્રવીણ કોળીમું મોટુ નિવેદન