Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

પાટણ જિલ્લામાં કુદરતનો પ્રકોપ: મોડી રાત્રે વાવાઝોડા સાથે ભારે વરસાદ, રાધનપુરમાં 2 ઇંચ વરસાદ

Radhanpur Heavy Rain: પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેથી ગરમીથી રાહત મળી હતી. પાટણના રાધનપુરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે, બાદરપુરા (Badarpura) ગામમાં વાવાઝોડાથી 15થી વધુ ઘરોના પતરા ઉડ્યા, વૃક્ષો ધરાશાયી થતા માર્ગો બંધ થયા અને વીજળી ગુલ થઈ ગઈ હતી. ભારે નુકસાન થતાં ગ્રામજનોએ વહેલી તકે સરકારી સહાયની માંગ કરી છે.
પાટણ જિલ્લામાં કુદરતનો પ્રકોપ  મોડી રાત્રે વાવાઝોડા સાથે ભારે વરસાદ  રાધનપુરમાં 2 ઇંચ વરસાદ
Advertisement

Patan Rain Update: પાટણ (Patan) જિલ્લામાં ગત મોડી રાત્રે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને વાવાઝોડા તેમજ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જિલ્લાના રાધનપુર (Radhanpur), સાંતલપુર (Santalpur), ચાણસ્મા (Chanasma), હારીજ (Harij) અને શંખેશ્વર (Shankheshwar) પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે. પાટણના રાધનપુરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે છેલ્લા કેટલાય સમયથી અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન લોકોને મોટી રાહત મળી હતી અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સત્તાવાર માહિતી મુજબ, પાટણના રાધનપુરમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

બાદરપુરા ગામમાં પ્રથમ વરસાદે જ સર્જી તારાજી

એક તરફ વરસાદથી લોકોને ગરમીમાંથી મુક્તિ મળી છે, તો બીજી તરફ રાધનપુર તાલુકાના બાદરપુરા (Badarpura) ગામમાં આ પ્રથમ વરસાદ જ આફત બનીને વરસ્યો હતો. મોડી રાત્રે ત્રાટકેલા તીવ્ર વાવાઝોડા અને ભારે પવનના કારણે ગામમાં ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. પવનની ગતિ એટલી તેજ હતી કે ગ્રામજનો કશું સમજે તે પહેલાં જ 15થી વધુ મકાનોના પતરા હવામાં ફંગોળાઈ ગયા હતા. ઘરના છાપરા ઉડી જતાં અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા હતા અને ઘરવખરીને મોટું નુકસાન થયું હતું.

Advertisement

વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર અને વીજ પુરવઠો ખોરવાયો

ભારે પવનના કારણે બાદરપુરા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વર્ષો જૂના અનેક લીમડાના વૃક્ષો મૂળમાંથી ઉખડીને રોડ પર ધરાશાયી થઈ ગયા હતા. રસ્તા પર મોટા વૃક્ષો પડવાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અને માર્ગો બંધ થઈ ગયા હતા. આ ઉપરાંત, વાવાઝોડાના કારણે વીજળીના લાઈવ વાયરો તૂટી પડ્યા હતા, જેના લીધે આખા ગામનો વીજ પુરવઠો ગુલ થઈ ગયો હતો. મોડી રાત્રે અંધારપટ છવાઈ જતાં ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

Advertisement

ગ્રામજનો દ્વારા વહેલી તકે સહાયની માંગ

પ્રથમ વરસાદમાં જ ઘરના પતરા ઉડી જવાથી અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતા બાદરપુરાના સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે. વાવાઝોડાના કારણે બેઘર બનેલા અને મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનોએ વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે, નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને પીડિત પરિવારોને વહેલી તકે સરકારી સહાય પૂરી પાડવામાં આવે જેથી તેઓ પોતાનું જનજીવન ફરી ધબકતું કરી શકે.

આ પણ વાંચો: ખાખીનો માનવતાવાદી ચહેરો: નાના રણમાં વાવાઝોડા વચ્ચે ફસાયેલા 17 શ્રદ્ધાળુઓનું કચ્છ પોલીસ દ્વારા દિલધડક રેસ્ક્યુ

Tags :
Advertisement

.

×