Patan: ઝીલિયામાં રાત્રે ટોળાએ મચાવ્યો આતંક, ભાવેશ રબારીના ઘર પર કર્યો હુમલો, શું છે કારણ?
પાટણના ચાણસ્માના ઝીલિયા ગામે મંદિરના ફાળાના વિવાદમાં ભાવેશ રબારીના ઘર પર 15 થી 20 શખ્સોના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પોલીસની 112 વાન પર પણ હુમલો કરતા પોલીસકર્મીઓએ જીવ બચાવવો પડ્યો હતો. આ મામલે બે ફરિયાદો નોંધાઈ છે, જેમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી એક ગાડી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
- Patan ના ઝીલિયામાં મંદિરના ફાળા મુદ્દે હિંસક હુમલો
- ચાણસ્મામાં પોલીસની 112 વાન પર પથ્થરમારો
- 20ના ટોળાએ ભાવેશ રબારીના ઘરે તોડફોડ કરી
- હિંસાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
Patan: ગત મોડી રાત્રે પાટણ (Patan) જિલ્લાના ચાણસ્મા (Chanasma) તાલુકાના ઝીલિયા ગામે અજાણ્યા શખ્સોના એક મોટા ટોળાએ ભાવેશ રબારી (Bhavesh Rabari) ના ઘર પર પ્રાણઘાતક હથિયારો સાથે હિંસક હુમલો કર્યો હતો. રામાપીરના નવીન મંદિર (Ramapir Temple) ના ફાળા બાબતે ચાલી રહેલા મનદુઃખને કારણે આરોપી જીતુભા (Jitubha) અને તેના સાથીઓએ ગાડીઓમાં આવીને પથ્થરમારો અને તોડફોડ કરી હતી. આ હુમલા દરમિયાન બચાવવા આવેલી પોલીસની 112 વાન (Police Van) પર પણ હિંસક હુમલો કરવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી.

