Patan: ચાણસ્મા-ગોઝારિયા હાઈવે પર NHAI ની ઘોર બેદરકારી, પાણી નિકાલની વ્યવસ્થા માત્ર કાગળ પર
પાટણના ચાણસ્મા-ગોઝારિયા હાઈવે પર NHAI ની ગંભીર બેદરકારી સામે આવી છે. કરોડોના ખર્ચે બનેલા બ્રિજ નીચે એન્જિનિયરો પાણીના નિકાલ માટે ઇનલેટ બનાવવાનું ભૂલી ગયા છે. આથી ધાણોદરડા સહિતના ગામો અને ખેતરોમાં પાણી ભરાવાની આશંકા છે. અગાઉ જે પાણી જસલપુર તળાવમાં જતું હતું તે હવે રસ્તા પર અટવાશે, જેને લઈ સ્થાનિકોએ તપાસની માગ કરી છે.
Advertisement
Patan News: પાટણ જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) ની ભારે બેદરકારી સામે આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ચાણસ્મા-ગોઝારિયા હાઈવે પ્રોજેક્ટમાં મોટો છબરડો જોવા મળ્યો છે. આ હાઈવે પર બનેલા ત્રણ રસ્તા ઓવરબ્રિજ નીચે વરસાદી પાણીના નિકાલ (Drainage System) માટે કરવામાં આવેલી વ્યવસ્થા માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

