Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Zhiliya Kand: શું ફાર્મ હાઉસ બાદ હવે Bhavesh Rabari નું ઘર તોડી પડાશે?

પાટણના ઝીલિયામાં ગૌચરની જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણ સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કુખ્યાત ભાવેશ રબારી અને તેની ગેંગ દ્વારા નિર્મિત 'રામધણી ફાર્મ હાઉસ' પર સતત બીજા દિવસે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પોલીસ પર હુમલો અને ગુજસીટોક (GujCITOC) જેવા ગુનાઓમાં સંડોવાયેલા ભાવેશના આલીશાન ઘરને તોડી પાડવાની પ્રક્રિયા હાલમાં પ્રગતિમાં છે.
zhiliya kand  શું ફાર્મ હાઉસ બાદ હવે bhavesh rabari નું ઘર તોડી પડાશે
Advertisement
  • Zhiliya Kand: પાટણમાં બીજા દિવસે પણ ડિમોલિશન યથાવત
  • ઝીલિયા ફાર્મ પર તંત્રનું બુલડોઝર ફર્યું
  • ભાવેશ રબારીનું ઘર ગણતરીના કલાકોમાં થશે જમીનદોસ

Zhiliya Kand: ગુજરાતમાં ગુનેગારો અને માફિયા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. પાટણ જિલ્લાના ઝીલિયા (Jhiliya) ગામે પોલીસની ટીમ પર હુમલો કરનાર શખ્સ ભાવેશ રબારી (Bhavesh Rabari) અને તેની કુખ્યાત 'મસ્તાની ગેંગ' (Mastani Gang) વિરુદ્ધ તંત્રએ અત્યંત કડક કાર્યવાહી કરી છે. ગઈકાલે 20 માર્ચના રોજ શરૂ થયેલી આ ડિમોલિશનની (Demolition) પ્રક્રિયા આજે સતત બીજા દિવસે પણ વહેલી સવારથી જ યથાવત રાખવામાં આવી છે.  ગઈકાલે પાટણના હાઈવે અને આસપાસના વિસ્તારોમાં દબદબો ધરાવતા આ ગુનેગાર ભાવેશ રબારીના 'રામધણી ફાર્મ હાઉસ' (Ramdhani Farm House) પર તંત્રના બુલડોઝર ફરી વળ્યું હતુ. આજે તેના ઘર પર બુલડોઝર ફેરવવાની તૈયારીઓ આદરી દેવામાં આવી છે. પોલીસ પર હુમલો કરવાની ઘટના બાદ કાયદાનો જે સકંજો કસાયો છે, તેનાથી સમગ્ર પંથકના ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર કરાયેલા કોઈપણ ગેરકાયદે દબાણને સાંખી લેવામાં આવશે નહીં.

Zhiliya Kand: ગૌચરની જમીન પર ખડકાયેલા સામ્રાજ્ય કાર્યવાહી

આ સમગ્ર વિવાદ અને કાર્યવાહીના મૂળમાં વર્ષ 2025માં કરવામાં આવેલી એક મહત્વની અરજી છે. 4 નવેમ્બર 2025ના રોજ મનીષ રાઠોડ (Manish Rathore) નામના જાગૃત નાગરિક દ્વારા પાટણ કલેક્ટરને (Collector of Patan) લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, ઝીલિયા ગામની કિંમતી ગૌચરની જમીન, જેનો સર્વે નંબર 166 છે, તેના પર ભાવેશ રબારી દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરીને આલીશાન ફાર્મ હાઉસ અને રહેણાંક મકાન ઉભું કરી દેવામાં આવ્યું છે. આ અરજી બાદ વહીવટી તપાસ તેજ બની હતી અને તાજેતરમાં પોલીસ પર થયેલા હુમલાની ઘટનાએ તંત્રને ત્વરિત પગલાં લેવા લેવાની જરુર પડી. મામલતદાર (Mamlatdar), ટીડીઓ (TDO) અને અધિક કલેક્ટરની (Additional Collector) સીધી દેખરેખ હેઠળ આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તંત્રએ મકાન અને શેડ બંનેને આગામી 7 દિવસમાં સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

Advertisement

Zhiliya Kand: બીજા દિવસની કાર્યવાહી ચાલુ

આજે બીજા દિવસે પણ જ્યારે ડિમોલિશન શરૂ થયું, ત્યારે માહોલ તંગ હતો પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્તને કારણે કોઈ અવરોધ પેદા થઈ શક્યો નથી. ગઈકાલે મોડી રાત્રે જ ફાર્મ હાઉસનો મોટો શેડ તોડી પાડવામાં આવ્યો હતો. આજે સવારથી જ ફાર્મમાં બિછાવેલા હજારો પેવર બ્લોકને (Paver Blocks) જેસીબીની મદદથી ઉખાડી ફેંકવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે, ભાવેશ રબારીના આલિશાન ઘરને પણ હવે તોડી પાડવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પોલીસની હાજરીમાં ઘરની તમામ ચીજવસ્તુઓ અને ઘરવખરી બહાર કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી આગામી ગણતરીના કલાકોમાં જ આ ઈમારતને જમીનદોસ્ત કરી શકાય. તંત્રની આ કડક કાર્યવાહી પાછળનો હેતુ માત્ર દબાણ હટાવવાનો જ નથી, પરંતુ ગુનેગારોના આર્થિક અને સામાજિક પાયા હચમચાવી દેવાનો છે, જેથી ભવિષ્યમાં કોઈ કાયદાને પડકારવાની હિંમત ન કરે.

Advertisement

ભાવેશ રબારી સામે અત્યારે જ કેમ કાર્યવાહી?

થોડા દિવસો પહેલા ઝીલિયા ગામે મંદિરના ફાળા બાબતે સામાન્ય તકરાર થઈ હતી, જેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. લાકડી અને ધોકા સાથેના ટોળાએ ભાવેશ રબારીના ઘર પર આતંક મચાવ્યો હતો. જ્યારે પોલીસની 112 વાન (Police Van 112) ઘટનાસ્થળે પહોંચી, ત્યારે હિંસક ટોળાએ પોલીસ વાહન પર પણ પથ્થરમારો અને તોડફોડ કરી હતી.

જે બાદ બેદરકારી બદલ PI સહિત 8 પોલીસકર્મી અને 5 GRD જવાનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.  આ બાદ પોલીસ તંત્ર જાગ્યું છે. પોલીસે પોતે ફરિયાદી બનીને ગુનેગારો સામે કાર્યવાહી કરી છે અને અત્યાર સુધીમાં 3 થી વધુ ઈસમોની ધરપકડ કરી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી સમગ્ર જિલ્લામાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

ભાવેશ રબારીનો ગુનાહિત ઇતિહાસ

ભાવેશ રબારી માત્ર એક સામાન્ય ગુનેગાર નથી, પરંતુ પાટણ પંથકમાં ભયનું પર્યાય ગણાય છે. તેના વિરુદ્ધ પાટણ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 10થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ખંડણી (Extortion), જીવલેણ હુમલો, ધાકધમકી અને વ્યાજખોરી જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, તેની વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે તેના પર ગુજસીટોક (GujCITOC) જેવો કડક કાયદો પણ લાદવામાં આવ્યો છે. વ્યાજખોરીના કાળા કારોબાર અને નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડીઓના વ્યવહારને કારણે તે સતત પોલીસના રડારમાં હતો. તાજેતરમાં જ તેના ફાર્મ હાઉસ પર થયેલી મોટી બબાલ અને પોલીસ પર થયેલા હુમલા બાદ પોલીસ અધિક્ષકે (SP) 'ફુલ એક્શન મોડ' (Full Action Mode) અપનાવવાની સૂચના આપી હતી. આ ઓપરેશનમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સહિતની વિવિધ ટીમો અત્યારે પણ ઘટનાસ્થળે ખડેપગે તૈનાત છે.

આ પણ વાંચોઃ Patan: ઝીલિયાકાંડમાં ચાણસ્મા PI સહિત 8 પોલીસકર્મી, 5 GRD જવાન સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×