Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

'ચૂંટણી ભુવાઓ દ્વારા જીતી શકાતી નથી', પૂર્વ MLA Raghu Desai ના નિવેદનથી ખળભળાટ

BJP vs Congress: પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ (Raghu Desai) એ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ચૂંટણી ભુવાઓ દ્વારા જીતી શકાતી નથી. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપે ધાર્મિક કાર્ડ રમીને ભુવા પરિવારના સભ્યોને ટિકિટ આપી છે. આ વિવાદાસ્પદ નિવેદનથી મોટો રાજકીય વિવાદ સર્જાવાની અને કોંગ્રેસને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
 ચૂંટણી ભુવાઓ દ્વારા જીતી શકાતી નથી   પૂર્વ mla raghu desai ના નિવેદનથી ખળભળાટ
Advertisement

પૂર્વ ધારાસભ્ય Raghu Desai એ ભુવા-ભોપાળા અંગે નિવેદન આપ્યું
ચૂંટણી ભુવાઓ દ્વારા જીતી શકાતી નથી: રઘુ દેસાઈ
ભાજપે ધાર્મિક સ્ટ્રોક રમી ટિકિટ આપી હોવાનો આક્ષેપ
ભાજપ ઉમેદવારના પતિ ભુવા હોવાથી ટિકિટ મળી: કોંગ્રેસ
રઘુ દેસાઈના નિવેદનથી મોટો વિવાદ સર્જાય તેવી શક્યતા
કોંગ્રેસને જ ભારે પડી શકે છે રઘુ દેસાઈનું નિવેદન

Raghu Desai Statement: ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. આ વખતે ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ (Raghu Desai) એ ભુવા-ભોપાળા અને શ્રદ્ધાના નામે લડાતી ચૂંટણીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો છે. રઘુ દેસાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, લોકશાહીમાં ચૂંટણી પ્રજાના કામો અને વિકાસના આધારે જીતાય છે, ચૂંટણી ભુવાઓ દ્વારા જીતી શકાતી નથી.

Advertisement

રઘુ દેસાઈએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

રઘુ દેસાઈએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે, ભાજપે આ વખતે રાજકીય નૈતિકતા નેવે મૂકીને 'ધાર્મિક સ્ટ્રોક' રમીને ટિકિટની વહેંચણી કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપના ઉમેદવારના પતિ પોતે ભુવા હોવાથી તેમને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ (Congress) નેતાના આ નિવેદન પાછળનો સીધો ઈશારો ભાજપ દ્વારા જ્ઞાતિ અને ધાર્મિક લાગણીઓનો ઉપયોગ કરી મતોનું ધ્રુવીકરણ કરવા તરફ હતો.

Advertisement

રધુ દેસાઇનું નિવેદન સર્જી શકે છે વિવાદ

આ નિવેદન સામે આવતા જ રાજકીય ગલિયારાઓમાં મોટો વિવાદ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં લોકશ્રદ્ધા અને ધાર્મિક પરંપરાઓનું વિશેષ મહત્વ છે, ત્યારે 'ભુવા' શબ્દનો ઉપયોગ કરીને કરવામાં આવેલી ટિપ્પણી સમાજના અમુક વર્ગોમાં રોષ જગાડી શકે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે રઘુ દેસાઈ (Raghu Desai) નું આ નિવેદન ભાજપ કરતા કોંગ્રેસને જ વધુ નુકસાન પહોંચાડી શકે છે. ભાજપ આ નિવેદનને શ્રદ્ધાનું અપમાન ગણાવીને ચૂંટણીમાં મોટો મુદ્દો બનાવી શકે છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ બન્યું તેજ

ચૂંટણીના માહોલમાં જ્યારે દરેક પક્ષ મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યો છે, ત્યારે પૂર્વ ધારાસભ્યના આ વેધક પ્રહારો આગામી દિવસોમાં સોશિયલ મીડિયા અને જનસભાઓમાં ચર્ચાનું કેન્દ્ર બનશે. શું પ્રજા વિકાસને મત આપશે કે પછી આ ધાર્મિક અને પરંપરાગત મુદ્દાઓ ચૂંટણીના પરિણામો નક્કી કરશે, તે જોવું રહ્યું. હાલ તો રઘુ દેસાઈના આ નિવેદનથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ તેજ બન્યું છે.

આ પણ વાંચો: Congress સાથે ગદ્દારી કરનારા 32 ઉમેદવારો આજીવન સસ્પેન્ડ

Tags :
Advertisement

.

×