Porbandar: પ્રેમલગ્નનો ભયાનક અંત, પતિએ લગ્ન પ્રમાણપત્ર ન આપતાં 20 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાધો, ઘટના જાણી હચમચી જશો
પોરબંદરમાં પરિવારની જાણ બહાર પ્રેમલગ્ન કરનાર 20 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થિની અંજલી મોદીએ પતિ ઋષિક ચૌહાણ દ્વારા લગ્નનું સત્તાવાર પ્રમાણપત્ર ન અપાતા માનસિક ત્રાસના કારણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતાની ફરિયાદના આધારે કમલાબાગ પોલીસે પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી, આરોપી પતિની ધરપકડ કરી તેને કોર્ટના આદેશથી જેલહવાલે કર્યો છે.
Advertisement
Porbandar Marriage certificate Dispute: પોરબંદરના છાયા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક નર્સિંગની વિદ્યાર્થિનીના પ્રેમલગ્નનો ખૂબ જ કરુણ અંત આવ્યો છે. પરિવારથી છુપાઈને પ્રેમલગ્ન કરનારી 20 વર્ષીય યુવતીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા (Suicide) કરી લેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલે પ્રાથમિક તપાસ બાદ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ (Arrest) કરી લીધી છે.

