Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot ના Aji Dam માં મોટી હોનારત, ન્હાવા પડેલા ચાર બાળકોમાંથી ત્રણના ડૂબી જવાથી મોત

રાજકોટના આજીડેમમાં વાહન ધોવા અને ન્હાવા ગયેલા ચાર યુવાનો ડૂબ્યા હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ફાયર વિભાગે અત્યાર સુધીમાં ત્રણ યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે એકની શોધખોળ હજુ ચાલુ છે. મૃતક યુવાનો શહેરના ઘાંચીવાડ વિસ્તારના રહેવાસી હોવાનું ખૂલ્યું છે, જેના પગલે સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
rajkot ના aji dam માં મોટી હોનારત  ન્હાવા પડેલા ચાર બાળકોમાંથી ત્રણના ડૂબી જવાથી મોત
Advertisement
  • રાજકોટના આજીડેમમાં ન્હાવા જતા 4 લોકો ડૂબ્યા
  • ત્રણ લોકોના મૃતદેહ મળ્યા, હજુ એકની શોધખોળ
  • ચારેય લોકો પાણીમાં વાહન ધોવા માટે ગયાનું અનુમાન
  • ડેમમાં મૃત્યુ પામેલા ત્રણ લોકોની ઓળખ કરી લેવાઇ
  • ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણાનું મોત
  • તમામ ત્રણ મૃતકો ઘાંચીવાડ વિસ્તારના રહેવાસી

શહેરની શાન ગણાતા આજીડેમ (Aji Dam) ખાતે આજે એક અત્યંત કરુણ ઘટના ઘટી છે. ડેમમાં ન્હાવા ગયેલા ચાર યુવાનો ઊંડા પાણીમાં ડૂબ્યા હોવાની જાણકારી મળતા તંત્ર દોડતું થયું હતું. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની મદદથી અત્યાર સુધીમાં ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ (Search Operation) હજુ પણ તેજ ગતિએ ચાલી રહી છે.

Rajkot Aaji dem dubya

Advertisement

વાહન ધોવા ગયા અને સર્જાયા કાળના દ્રશ્યો

પ્રાથમિક મળતી માહિતી મુજબ, આ ચારેય લોકો ડેમના કાંઠે પોતાનું વાહન ધોવા માટે ગયા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. વાહન ધોતી વખતે અથવા ત્યારબાદ ન્હાવા જતી વખતે સંતુલન ગુમાવતા તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ (Fire Brigade) ના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે, જેમને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે..

Advertisement

Rajkot aaji dem police

મૃતકોની ઓળખ અને શોકનું મોજું

પાણીમાં ડૂબવાથી મૃત્યુ પામેલા ત્રણ યુવાનોની ઓળખ કરી લેવામાં આવી છે. મૃતકોમાં ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણાનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકો રાજકોટના ઘાંચીવાડ (Ghanchiwaad) વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. એક જ વિસ્તારના ત્રણ આશાસ્પદ યુવાનોના મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Rajkot Crime Branch ની સફળતા, લાખોની ચાંદીની ચોરી કરનાર મામા-ભાણેજ ઝડપાયા

Tags :
Advertisement

.

×