Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Khunt Case : રીબડા યુવકના આપઘાત કેસમાં નવો વળાંક, બે યુવતી-વકીલની ધરપકડ

અનિરુદ્ધસિંહ, તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર, એક સગીરા સહિત 4 સામે આત્મહત્યા કરવા મજબૂર કર્યા સહિતનાં ગંભીર આક્ષેપ કર્યા હતા.
amit khunt case   રીબડા યુવકના આપઘાત કેસમાં નવો વળાંક  બે યુવતી વકીલની ધરપકડ
Advertisement
  1. રીબડા યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક
  2. પોલીસે બે યુવતી, બે વકીલની ધરપકડ કરી
  3. પૂર્વ આયોજિત કાવતરું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
  4. પોલીસે પૂજા ગોરનાં બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા

ગોંડલ તાલુકાનાં રીબડામાં અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. બે દિવસ પહેલા રીબડા ગામે રહેતા અમિતભાઇ ખૂંટે ગામની સીમમાં પોતાની વાડી પાસે ગળેફાસો ખાઇ આપઘાત કર્યો હતો. આ ઘટનામાં અમિતભાઈએ પહેરેલા કપડાંમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં રીબડા ગામનાં અનિરુદ્ધસિંહ જાડેજા તથા તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર, એક સગીરા સહિત 4 સામે આત્મહત્યા કરવા મજબૂર કર્યા સહિતનાં ગંભીર આક્ષેપ કર્યા હતા. આ મામલે અમિતભાઇનાં ભાઈ મનીષભાઇ ખૂંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને હવે બે યુવતી અને બે વકીલની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો - Gonal: રીબડાના યુવકની આત્મહત્યા મુદ્દે રાજકીય ઘમાસાણ, ગણેશ ગોંડલે આપી શ્રદ્ધાંજલિ

Advertisement

Advertisement

બંને યુવતીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો

માહિતી અનુસાર, બનાવ અંગે LCB PI વી.વી.ઓડેદરા, PI એ.સી.ડામોર, એ.ડી. પરમારનાં માર્ગદર્શન હેઠળ LCB પેરોલ ફર્લો તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપી પૂજાબેન જેન્તીભાઈ રાજગોર (રહેં હાલ રાજકોટ) તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બંનેની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા પૂજા રાજગોરે જણાવ્યું હતું કે, એક વ્યક્તિ એ જણાવ્યું હતું કે તમારે અમિત ખૂંટ નામની વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાનાં માધ્યમથી મિત્રતા, પ્રેમસંબંધ કેળવી ત્યાર બાદ ખોટી રીતે બળાત્કારની ફરિયાદ કરવાની છે. ઉપરાંત, આ બદલામાં તમારી લાઇફ બની જશે અને સારામાં સારી જોબ પણ મળી જશે અને બંનેને પૈસાની જરૂરિયાત હોવાથી આ કામ કરવા માટે તૈયાર થઈ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો - Gondal:પાટીદાર યુવકના આપઘાત મામલો, અનિરૂદ્ધસિંહ જાડેજાએ કર્યો મોટો ખુલાસો

પૂર્વ આયોજિત કાવતરું, બે વકીલોની પણ ધરપકડ

યુવતીએ વધુમાં કહ્યું કે, એ વ્યક્તિએ કહ્યું કે ફરિયાદનાં સમયે મારા વકીલ એક સંજય પંડિત તથા દિનેશ પાત્તરને તમામ વિગત ખબર છે, જેથી તેઓ શરૂઆતથી અંત સુધી તમારી સાથે રહેશે અને તેઓ જે રીતે કહે તે રીતે તમારે પોલીસ ફરિયાદ લખાવવાની છે. તેવું પૂર્વ આયોજિત કાવતરૂં રચેલ હોવાનું તપાસ દરમિયાન ખુલતા આરોપી સંજયભાઇ હેમતભાઇ પંડિત (રહે. રાજકોટ) તથા દિનેશભાઇ પાલાભાઈ પાત્તર (રહે. ગોંડલ) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઇ છે. દરમિયાન, પોલીસે પૂજા રાજગોરને ગોંડલની એડિ. ચીફ. જ્યૂડી. મેજિસ્ટ્રેટ મેહુલ પરમારની કોર્ટમાં રજૂ કરી 7 દિવસનાં રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Amit Khunt Case : સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ જાડેજા, બે યુવતી સામે હનીટ્રેપ સહિતનાં ગંભીર આક્ષેપ

Tags :
Advertisement

.

×