Rajkot News: તાજેતરમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં દીકરીઓના ઉછેર, તેમની સુરક્ષા અને જવાબદારીઓ અંગે વ્યક્ત કરેલી ગંભીર ચિંતાએ સમગ્ર દેશમાં સામાજિક ચર્ચાઓને જન્મ આપ્યો છે. રાજ્યપાલના આ નિવેદનનું સમર્થન કરતા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે યુવા પેઢીને સોશિયલ મીડિયાના ભ્રમજાળથી બચવા અને સાચી દિશામાં આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું છે.આ શ્રેણીમાં હવે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે પણ આ મુદ્દે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે.
આનંદીબેન પટેલના નિવેદન પર આર.પી. પટેલની પ્રતિક્રિયા
આર.પી. પટેલે રાજ્યપાલ આનંદીબેન પટેલના વિચારો સાથે સંપૂર્ણ સંમતિ દર્શાવતા જણાવ્યું હતું કે, આજના સમયમાં દીકરીઓ માટે શિક્ષણનું મહત્વ છે જ, પરંતુ તે સાથે તેમણે પોતાના અભ્યાસ અને ધ્યેય પર જ પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આનંદીબેન પટેલના નિવેદન પર આર.પી. પટેલનું મોટું નિવેદન
આર.પી. પટેલે જણાવ્યું હતું કે, "આનંદીબેન પટેલે જે વાત કરી છે તે ખૂબ જ ગંભીર અને વિચારવા જેવી છે. ઘણીવાર દીકરીઓ લોભ-લાલચમાં આવીને આવારા તત્વો કે વિધર્મીઓના સંપર્કમાં આવી જાય છે, જે તેમના ઉજ્જવળ ભવિષ્યને અંધકારમય બનાવી શકે છે. આવી સ્થિતિમાં માત્ર દીકરીઓ જ નહીં, પરંતુ સમગ્ર સમાજે અને ખાસ કરીને પરિવારે જાગૃત થવાની જરૂર છે."
પરિવાર સાથે મિત્રતા વધારવા માટેનો મંત્ર
આ સમસ્યાના ઉકેલ માટે આર.પી. પટેલે 'પરિવાર સંવાદ'નું મહત્વ સમજાવ્યું છે. તેમણે કહ્યું કે, દરેક પરિવારે દરરોજ રાત્રે એક કલાક 'ઘર સભા' યોજવી જોઈએ, જેમાં મોબાઈલ ફોન બાજુ પર મૂકીને પરિવારના સભ્યો વચ્ચે મુક્ત સંવાદ થાય. આનાથી પરિવારમાં મિત્રતા અને સહાનુભૂતિ વધશેસમાજના મંદિરોમાં સમૂહ આરતી જેવી પ્રવૃત્તિઓ વધારવી જોઈએ, જેથી નવી પેઢી પોતાના ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે અને ખોટા માર્ગે જતા બચે.
વિશ્વ ઉમિયાધામ દ્વારા આ દિશામાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે, જેથી દીકરીઓ સુરક્ષિત રહે અને સમાજમાં એકતા જળવાય.
આ પણ વાંચો : Rajkot : ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનું સમાજને માર્ગદર્શન, કહ્યું, "પ્રેમ ગુનો નથી, પણ માતા-પિતાની સહમતી અને મર્યાદા જરૂરી"