Rajkot : નિર્માણાધીન પુલનો એક ભાગ ધરાશાયી, સિમેન્ટ-કૉન્ક્રીટ નબળી ગુણવત્તાનો ઉપયોગ કર્યાનો આક્ષેપ
- Rajkot: નવા 150 ફૂટ રોડ પર નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટ્યો
- JCB મશીનની મદદથી તૂટેલો ભાગ દૂર કરાયો
- સિમેન્ટ-કૉન્ક્રીટ નબળી ગુણવત્તાનો ઉપયોગ કર્યાનો આક્ષેપ
Rajkot : ગુજરાતમાં વધુ એક વખત બ્રિજ તૂટવાની ઘટના બની છે. રાજકોટના નવા 150 ફૂટ રોડ પર નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટ્યો હોવાનું સામે આવ્યું છે. નવા નિર્માણ પામી રહેલા પુલ વચ્ચેનો ભાગ બેસી ગયો હતો. મળતી માહિતી અનુસાર કોરાટ ચોક પાસે પુલનો એક ભાગ એક તરફ નમી પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજકોટના કોરાટ ચોક પાસે બનાવવામાં આવેલા કોરાટ ચોક પાસે પુલનો એક ભાગ એક તરફ નમી પડ્યો હતો. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે JCB મશીનની મદદથી તૂટેલો ભાગ દૂર કરાયો છે. જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
હલકી ગુણવત્તાની સામગ્રી ઉપયોગ કર્યોનો આક્ષેપ(Rajkot)
પ્રાપ્તથતી માહિતી અનુસાર રાત્રીના સમયે બ્રિજનો ગાળો તૂટી જતા કાટમાળ હટાવવાની શરુઆત હાથ ધરવામાં આવી છે. સિમેન્ટ -કૉન્ક્રીટ નબળી ગુણવત્તાનો ઉપયોગ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બ્રિજમાં હલકી ગુણવત્તાનું લોખંડનો ઉપયોગ થયો હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. બ્રિજનો ભાગ ધરાશાયી થયા બાદ તેની તપાસ હાથ ધરવામાં આવે તે પહેલા જ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.
વલસાડમાં પણ પુલનો સ્લેબ થયો હતો ધરાશાયી
બીજી તરફ આ અગાઉ વલસાડ જિલ્લામાં પણ આવી જ એક ઘટના બની હતી. વલસાડના કૈલાશ રોડ પર આવેલા અને ઔરંગ નદી પણ નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો હતો. મીડિયા અહેવાલ અનુસાર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી ત્યારે આ ઘટના બની હતી. બ્રિજનો સ્લેબ ધરાશાયી થતા 4 જેટલા મજૂર દબાયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક દોડી આવી મજૂરોને બહાર કાઢી તાત્કાલિક ધોરણે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા
આ પણ વાંચો: Vadodara: 25 વર્ષ જૂની ટાંકી ધડામ દઈને હેઠી પડી, વડું ગામે જર્જરિત થયેલી ટાંકીને તોડી પડાઈ


