ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ખેડૂતોની વ્હારે કોંગ્રેસ! Pareshbhai Dhanani એ સમજાવ્યું વળતરનું ગણિત

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે કોંગ્રેસે “ખેતી બચાવો સત્યાગ્રહ” અભિયાન શરૂ કરીને ખેડૂતોનો અવાજ બનવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કપાસના પાકને થયેલા નુકસાન અંગે વળતરનું ગણિત સમજાવતાં સરકારને તાત્કાલિક સહાય જાહેર કરવાની માંગ કરી છે. ધારી અને ખાંભામાં હલ્લાબોલ કાર્યક્રમો સાથે કોંગ્રેસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ખેડૂતોના હિત માટે તેની લડત ચાલુ રહેશે.
11:39 AM Nov 04, 2025 IST | Hardik Shah
રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે કોંગ્રેસે “ખેતી બચાવો સત્યાગ્રહ” અભિયાન શરૂ કરીને ખેડૂતોનો અવાજ બનવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કપાસના પાકને થયેલા નુકસાન અંગે વળતરનું ગણિત સમજાવતાં સરકારને તાત્કાલિક સહાય જાહેર કરવાની માંગ કરી છે. ધારી અને ખાંભામાં હલ્લાબોલ કાર્યક્રમો સાથે કોંગ્રેસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ખેડૂતોના હિત માટે તેની લડત ચાલુ રહેશે.
Pareshbhai_Dhanani_in_support_of_farmers_Gujarat_First

Pareshbhai Dhanani in support of farmers : છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કમોસમી વરસાદ સામાન્ય નાગરકિની સાથે જગતના તાતને પણ ખૂબ પરેશાન કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં કમોસમી વરસાદે ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન કર્યું છે. જેના કારણે ખેેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. ત્યારે એકબાજુ રાજ્યની સરકાર આ મુદ્દે ગંભીર થઇને ટૂંક સમયમાં ખેડૂતો માટે સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરવાની તૈયારી કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસે “ખેતી બચાવો સત્યાગ્રહ” નામે અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર અને તેમની સમસ્યાઓ અંગે સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

પરેશ ધાનાણીનો ખેડૂતોને ટેકો

કોંગ્રેસના જાણીતા નેતા પરેશભાઈ ધાનાણી ખેડૂતોના પ્રશ્નો પર સતત બોલી રહ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર મળવું જરૂરી છે. ખાસ કરીને કપાસના પાકને ભારે નુકસાન થયું છે, પરંતુ ખેડૂતોને પૂરતું સહાય ન મળતાં તેઓ મુશ્કેલીમાં છે. પરેશ ધાનાણીએ વળતરનું ગણિત પણ સમજાવ્યું અને કહ્યું કે જે રીતે ખેડૂતોને નુકસાન થયું છે, તે મુજબ યોગ્ય દરે વળતર આપવું સરકારની ફરજ છે.

કપાસના પાકનું ભારે નુકસાન

આ વર્ષે અનિશ્ચિત વરસાદ અને કીટકોના પ્રકોપને કારણે કપાસના પાકને મોટું નુકસાન થયું છે. પરેશ ધાનાણીએ જણાવ્યું કે અનેક ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, છતાં સરકારે હજુ સુધી કોઈ ઠોસ પગલાં લીધાં નથી. તેઓએ કહ્યું કે “જગતના તાતને જીવવા દેજો” એ માત્ર નારો નથી, પરંતુ ખેડૂતોની વ્યથા વ્યક્ત કરતો સંદેશ છે.

સોશિયલ મીડિયા પર અભિયાન

“જગતના તાતને જીવવા દેજો” નામે કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પણ અભિયાન શરૂ કર્યું છે. આ પોસ્ટ્સ દ્વારા ખેડૂતોની હાલત, તેમ સમસ્યાઓ અને વળતર માટેની માંગને વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

ધારી અને ખાંભામાં હલ્લાબોલ કાર્યક્રમો

આજે ધારી અને ખાંભા તાલુકામાં કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના સમર્થનમાં હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખેડૂતોની મુશ્કેલીઓને જનતા સમક્ષ રજૂ કરી અને સરકારને તરત વળતર જાહેર કરવાની માંગ કરી.

આ પણ વાંચો :   Amreli : એક તરફ શાબ્દિક પ્રહાર, બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ભાજપના આ MLA ના કર્યા વખાણ

Tags :
Agricultural Crisisbhupendra patel governmentCongress GujaratCotton Crop LossCrop Damage ReliefDhari Khambha RallyFarmer ProtestFarmers CompensationFarmers SupportGujarat FirstGujarat PoliticsJagat Na Tat CampaignKheti Bachavo SatyagrahParesh DhananiPareshbhai DhananiSocial Media Campaignunseasonal rain
Next Article