Rajkot: હનુમાન કથા દરમિયાન VVIP ડોમમાં ભીષણ આગ! હજારોની ભીડ વચ્ચે કેવી રીતે ટળી મોટી દુર્ઘટના?
- રાજકોટમાં ( Rajkot) હનુમાન કથામાં મોટી દુર્ઘટના ટળી
- રાજકોટમાં હનુમાન ચાલીસા યુવા કથાના ડોમમાં લાગી આગ
- રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી કથામાં મોટી દુર્ઘટના ટળી
- VVIP ડોમમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
- સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઘાયલ નહી
રાજકોટના (Rajkot) રેસકોર્સ ગ્રાઉન્ડ (Racecourse Ground) ખાતે ચાલી રહેલ હનુમાન ચાલીસા યુવા કથાના (Hanuman Chalisa Yuva Katha) આયોજન દરમિયાન એક અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રાજકોટમાં હનુમાન ચાલીસા યુવા કથાના ડોમમાં લાગી આગ લાગવાની ઘટના સામે આવી છે. કથા મંડપના VVIP ડોમમાં ફાયર શો દરમિયાન આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી, અને મોટી દુર્ઘટના ટળી ગઈ.
Rajkot માં હનુમાન ચાલીસા યુવા કથાના ડોમમાં લાગી આગ
આ કથા પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવી છે, જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. રેસકોર્સ ગ્રાઉન્ડને ભવ્ય કથા મંડપમાં ફેરવવામાં આવ્યું છે, જ્યાં VVIP ડોમ સહિત વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ઘટના ફાયર શોના પ્રદર્શન દરમિયાન બની હતી, જેમાં આગની જ્વાળાઓ અચાનક વકરી ગઈ અને ડોમના ભાગમાં ફેલાઈ ગઈ.આગ લાગતા જ કથા સ્થળે હાજર ભક્તોમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો ભાગદોડ કરવા લાગ્યા, પરંતુ આયોજકો અને સુરક્ષા કર્મીઓની ત્વરિત કાર્યવાહીથી પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ.
ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો
આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામા આવી હતી જે બાદ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. કથાનો કાર્યક્રમ થોડી વાર માટે અટક્યો હતો, ભક્તોએ હનુમાનજીની કૃપાથી મોટી અનર્થ ટળ્યો તેમ માનીને રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો : Gondal : ગણેશ જાડેજા-રાજુ સોલંકી ફરી એકમંચે; સમાધાન બાદ જન્મદિવસ પર શુભેચ્છા સાથે વિરોધીઓને જડબાતોડ જવાબ


