ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal : ખીજડાવાળા મામાદેવના મંદિરે અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઊજવણી

આખા દિવસમાં 52 ગજની 21 ધજા ચડાવવામાં આવી. મંદિર ખાતે વાજતે-ગાજતે ધ્વજારોહન કરવામાં આવ્યું હતું
10:54 PM Jun 27, 2025 IST | Vipul Sen
આખા દિવસમાં 52 ગજની 21 ધજા ચડાવવામાં આવી. મંદિર ખાતે વાજતે-ગાજતે ધ્વજારોહન કરવામાં આવ્યું હતું
Gondal_Gujarat_first main
  1. Gondal નાં ખીજડાવાળા મામાદેવનાં મંદિરે અષાઢી બીજ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઊજવણી
  2. છેલ્લા 48 વર્ષથી અષાઢી બીજની થાય છે ભવ્ય ઉજવણી, મોટી સંખ્યામાં ભક્તો આવ્યા
  3. ગણપતિપૂજન, મહાઆરતી, ભોજન પ્રસાદ સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરાયું
  4. 52 ગજની 21 ધજા ચડાવવામાં આવી, નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો

Gondal : અષાઢ સુદ બીજ (અષાઢી બીજ) એટલે ભગવાન જગન્નાથજીની (Lord Jagannath) રથયાત્રાનો દિવસ. કંસનાં તેડાથી અક્રુરજી બાળ કૃષ્ણને રથમાં બેસાડીને ગોકુળથી મથુરા લાવ્યા હતા. આ દિવસથી રથાયાત્રાનો (Rath Yatra) પ્રારંભ થયો હોવાનું માનવામાં આવે છે. ત્યારથી આ દિવસની ભવ્ય ઊજવણી કરવામાં આવે છે. દેશભરમાં આ દિવસને ઉત્સવ તરીકે ઊજવવામાં આવે છે.

ગોંડલનાં સુપ્રસિદ્ધ ખીજડાવાળા મામાદેવનાં મંદિરે (Khijdawala Mamadev temple) પણ અષાઢી બીજ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. અહિં સતત 48 વર્ષથી અષાઢી બીજની ભવ્ય ઉજવણી થતી આવી છે. મોટી સંખ્યામાં ભક્તો મહોત્સવમાં ઉમટ્યા હતા અને ભગવાનનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો - Rath Yatra 2025 : અમદાવાદનાં જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં પરિવાર સાથે સહભાગી થયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

52 ગજની 21 ધજા ચડાવવામાં આવી

ગોંડલનાં ભોજરાજપરા 31 નંબરમાં આવેલા ખીજડાવાળા મામાદેવના મંદિર ખાતે અષાઢી બીજ મહોત્સવની (Ashadhi Bij Mahotsav) ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ગણપતિપૂજન, મહાઆરતી, ભોજન પ્રસાદ સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે આજે આખા દિવસમાં 52 ગજની 21 ધજા ચડાવવામાં આવી. મંદિર ખાતે વાજતે-ગાજતે ધ્વજારોહન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Rajkot:ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા નીકળી, પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો

નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો

આજે ગોંડલમાં ઠેર ઠેર ઉજવણી થઇ રહી છે. ત્યારે અહિં પણ ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ. ગણપતી પૂજન, મામાદેવને સાફો પહેરાવવાનું ભકતજનો માટે સવારે 10 થી રાત્રિના 10:30 સુધી ભોજનપ્રસાદ તેમ જ સાંજનાં સમયે કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ યોજાયો છે. ઉપરાંત, નવચંડી યજ્ઞ (Navchandi Yagya) યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Surat માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી, હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા

Tags :
Ashadh BijAshadhi Bij MahotsavGondalGUJARAT FIRST NEWSKhijdawala Mamadev templeLord JagannathMathuraNavchandi YagyaRAJKOTRath YatraTop Gujarati New
Next Article