Gondal Controversy : મને ઉશ્કેરવા ગયા, પણ ગોંડલની જનતા ઉશ્કેરાઈ ગઈ - જયરાજ સિંહ
ગોંડલ વિવાદ (Gondal Controversy) માં જયરાજ સિંહ જાડેજા (Jayraj Sinh Jadeja) નું નિવેદન સામે આવ્યું છે. Jayraj Sinh Jadeja એ જણાવ્યું છે કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. વાંચો વિગતવાર.
Advertisement
- Gondal Controversy માં જયરાજ સિંહ જાડેજાના આકરા વાકપ્રહાર
- ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે - જયરાજ સિંહ
- ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે - જયરાજ સિંહ
- અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે - જયરાજ સિંહ
Gondal Controversy : ગુજરાતમાં અત્યારે ગોંડલ વિવાદ (Gondal Controversy) માં નવો ફણગો ફુટ્યો છે. જયરાજ સિંહ જાડેજા (Jayraj Sinh Jadeja)એ આ સમગ્ર વિવાદ મુદ્દે નિવેદન આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. થોડો સમય પહેલા જ અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) એ ગોંડલમાં પ્રવેશ કર્યો છે. જય સરદારના નારા સાથે અલ્પેશનું સ્વાગત થયુ છે. રાજુ સખીયા તેમજ પાટીદાર યુવકોએ સ્વાગત કર્યું છે. તેમજ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે વિરોધનું લોકશાહીમાં સ્વાગત છે. ગોંડલમાં દર્શન કરવા માટે આવ્યા છીએ. ગોંડલમાં તમામ લોકો ભયમાં રહે છે.

