ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનાને લઈને પગલા લેવાનું થયું શરૂ

મોરબી મચ્છુ બે નદી ઉપર રાજાશાહી વખતથી જ બનેલો કેબલ બ્રિજમાં ગત તારીખ 30 ના રોજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની ગંભીર બેદરકારી હોવાનું પુરાવા થતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસ દ્વારા પણ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પૂછપરછ પણ કરવામાં આવી હતી. જો તેની બેદરકારી જણાશે તો પોલીસ ગમે ત્યારે સંદીપસિંહ ઝાલાની ધરપકડ પણ કરી શકે છે. મોરબી નગરàª
06:30 AM Nov 04, 2022 IST | Vipul Pandya
મોરબી મચ્છુ બે નદી ઉપર રાજાશાહી વખતથી જ બનેલો કેબલ બ્રિજમાં ગત તારીખ 30 ના રોજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની ગંભીર બેદરકારી હોવાનું પુરાવા થતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસ દ્વારા પણ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પૂછપરછ પણ કરવામાં આવી હતી. જો તેની બેદરકારી જણાશે તો પોલીસ ગમે ત્યારે સંદીપસિંહ ઝાલાની ધરપકડ પણ કરી શકે છે. મોરબી નગરàª
મોરબી મચ્છુ બે નદી ઉપર રાજાશાહી વખતથી જ બનેલો કેબલ બ્રિજમાં ગત તારીખ 30 ના રોજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની ગંભીર બેદરકારી હોવાનું પુરાવા થતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસ દ્વારા પણ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પૂછપરછ પણ કરવામાં આવી હતી. 
જો તેની બેદરકારી જણાશે તો પોલીસ ગમે ત્યારે સંદીપસિંહ ઝાલાની ધરપકડ પણ કરી શકે છે. મોરબી નગરપાલિકા દ્વારા ઓરેવા કંપની સાથે જે કરાર કરવામાં આવ્યા છે, તેમાં પહેલેથી જ કૌભાંડ હોવાનું સામે આવ્યું છે. માત્ર ₹300 ના સ્ટેમ્પ ઉપર આ આખે આખો કરાર કરવામાં આવ્યો હતો? જો સરકારી એક લાખથી વધુની કિંમત ધરાવતા હોય તો તેની મંજૂરી પણ સરકારમાંથી લેવાની હોય છે. મોરબી નગરપાલિકા દ્વારા એક પણ પ્રકારની મંજૂરી સરકારમાંથી લેવામાં નથી. આવો આખે આખો કોન્ટ્રાક્ટ છે તે બારોબાર આપી દેવામાં આવ્યો હતો. 

એટલે કહી શકાય કે, મોરબી નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. મોરબી નગરપાલિકાના અધિકારી સંદીપસિંહ ઝાલાની પૂછપરછ બાદ પોલીસ પદાધિકારીઓની પણ પૂછપરછ કરી શકે છે. હાલ તો સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ બાદ મોરબી નગરપાલિકામાં સોપો પડી ગયો છે, કારણ કે જે રીતના દુર્ઘટના બની છે તેમાં 135 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો - ઓરેવા ગ્રુપની ઓફિસ અને કેબલ બ્રિજની કોન્ટ્રાક્ટ રાખનાર દેવ પ્રકાશ ફેબ્રિકેશનમાં પોલીસના દરોડા
Tags :
CableBridgeTragedyGujaratFirstmorbiMorbiCableBridgeTragedyMorbiTragedy
Next Article