Rajkot News: હથોડીના ઘા ઝીંકી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી, પતિ શા માટે બન્યો હત્યારો?
Rajkot News: રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. 40 વર્ષીય મહિલા શિલ્પાબેન લાલાણીની તેમના જ પતિ અલતાફ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
પારિવારિક વિવાદમાં મહિલાએ જીવ ગુમાવ્યો
પ્રાથમિક મળતી માહિતી અનુસાર આ ઘટના પાછળનું મુખ્ય કારણ પારિવારિક વિવાદ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આરોપી પતિએ ઉશ્કેરાટમાં આવીને શિલ્પાબેન પર હથોડી વડે હુમલો કર્યો છે. હુમલા દરમિયાન મહિલાના માથાના ભાગે ગંભીર અને જીવલેણ ઘા થતા, તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. હત્યા કર્યા બાદ આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના આવી સામે
ઘર કંકાશમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં હત્યા
રૈયા ટેલિફોન એક્સેન્જ પાસે શિવાલિક એપાર્ટમેન્ટનો બનાવ #RajkotCrime #MurderInRajkot #RajkotPolice #CrimeBranch #GujaratCrime #DomesticViolence #RajkotNews #BreakingNewsRajkot #GujaratPolice pic.twitter.com/Gvc07DZhDh— Gujarat First (@GujaratFirst) May 29, 2026
પોલીસની તપાસ તેજ
ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University Police Station) અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થળને કોર્ડન કરી એફએસએલની મદદથી પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
ફરાર પતિની શોધખોળ ચાલુ
હત્યાની આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા હત્યારા પતિને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલમાં પોલીસ પરિવારજનોના નિવેદન નોંધીને તપાસ કરી રહી છે કે હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે.
આ પણ વાંચોઃ Bhavanagar News: ઘોઘામાં થયેલા અકસ્માત કેસમાં નવો વળાંક, શું જૂની અદાવતનો બદલો લેવા હત્યા કરી?


