Rajkot : 15 વર્ષથી ખાલી પડેલા 1056 સરકારી આવાસોની થશે કાયાપલટ, માત્ર 2 લાખમાં મળશે 1BHK ફ્લેટ!
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલા બનાવેલા આવાસોનું રિનોવેશન કાર્ય કરવામાં આવશે. છેલ્લા 15 વર્ષથી ખાલી પડેલા 1056 સરકારી આવાસોને કોર્પોરેશન દ્વારા રિનોવેશન કરવામાં આવશે. આવતા 10 મહિનામાં મનપા દ્વારા આ આવાસોને નવી રીતે તૈયાર કરાશે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 16 કરોડ 60 લાખનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ આવાસ PMAY યોજના હેઠળ 3 લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આવશે.
Advertisement
- Rajkot મનપાએ વર્ષો પહેલા બનાવેલા આવાસનું હવે રિનોવેશન
- છેલ્લા 15 વર્ષથી ખાલીખમ 1056 સરકારી આવાસોની કાયાપલટ થશે
- મનપા દ્વારા આગામી 10 મહિનામાં નવા આવાસ તૈયાર થશે
- 16 કરોડ 60 લાખનાં ખર્ચે રિનોવેશન કામગીરી હાથ ધરાશે
- PMJAY યોજના હેઠળ લોકોને આવાસ આપવામાં આવશે
Rajkot : રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા વર્ષો પહેલા બનાવેલા આવાસોનું રિનોવેશન કાર્ય કરવામાં આવશે. છેલ્લા 15 વર્ષથી ખાલી પડેલા 1056 સરકારી આવાસોને કોર્પોરેશન દ્વારા રિનોવેશન કરવામાં આવશે. આવતા 10 મહિનામાં મનપા દ્વારા આ આવાસોને નવી રીતે તૈયાર કરાશે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 16 કરોડ 60 લાખનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. PMAY યોજના (PMAY Scheme) હેઠળ 1BHK ફ્લેટ માત્ર 2 લાખ રૂપિયા આપવામાં આવશે.

