ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: જસદણ-આટકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, સાધ્વીજીનું થયુ દુઃખદ અવસાન

Rajkot: રાજકોટના જસદણ-આટકોટ વચ્ચે ટ્રેક્ટરે સાધ્વીજીને અડફેટે લીધા છે. જેમાં ટ્રેક્ટરની અડફેટે આવતા શ્રુતનિધિજી નામના જૈન સાધ્વીજીનું મોત થયુ છે. તેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાધ્વીજીનું મોત થતા શોકનો માહોલ છવાયો છે. મગફળી ભરેલા ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કટરથી કાર કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
11:16 AM Dec 09, 2025 IST | SANJAY
Rajkot: રાજકોટના જસદણ-આટકોટ વચ્ચે ટ્રેક્ટરે સાધ્વીજીને અડફેટે લીધા છે. જેમાં ટ્રેક્ટરની અડફેટે આવતા શ્રુતનિધિજી નામના જૈન સાધ્વીજીનું મોત થયુ છે. તેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાધ્વીજીનું મોત થતા શોકનો માહોલ છવાયો છે. મગફળી ભરેલા ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કટરથી કાર કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
Rajkot, Accident, Jasdan, Aatkot, Sadhviji, Gujarat

Rajkot: રાજકોટના જસદણ-આટકોટ વચ્ચે ટ્રેક્ટરે સાધ્વીજીને અડફેટે લીધા છે. જેમાં ટ્રેક્ટરની અડફેટે આવતા શ્રુતનિધિજી નામના જૈન સાધ્વીજીનું મોત થયુ છે. તેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાધ્વીજીનું મોત થતા શોકનો માહોલ છવાયો છે. મગફળી ભરેલા ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કટરથી કાર કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માતમાં ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા

અકસ્માતમાં ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ઈજાગ્રસ્તોને આટકોટની કે.ડી. પરવાડી હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત બાદ મગફળી ભરેલું ટ્રેક્ટર પલટી ગયું હતું. તેમજ જૈન સાધ્વીઓ જસદણથી જૂનાગઢ તરફ જઈ રહ્યાં હતા. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. જસદણ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં જૈન સાધ્વી શ્રુતનિધિજીનું દુઃખદ અવસાન થતા જૈન સમાજમાં શોકનો માહોલ છે.

Rajkot: સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી

જૈન સાધ્વીઓ અને કેટલાક સેવકો જસદણથી જૂનાગઢ તરફ વિહાર કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા ચાર લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જૈન સાધ્વી શ્રુતનિધિજીના નિધનના સમાચાર મળતા જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તોમાં શોક વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: સંઘપ્રદેશ Dadra and Nagar Haveli ની લિઝા ઈન્ડસ્ટ્રીઝમાં લાગી આગ

 

Tags :
AatkotAccidentGujaratjasdanRAJKOTSadhviji
Next Article