Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rivaba Vs Nayanaba : નણંદ-ભોજાઈની ટક્કરમાં કોનું પલ્લું ભારે? જંગ થયો તેજ!

Gujarat Election: રાજકોટમાં વોર્ડ નં. 2ની ચૂંટણીમાં નણંદ-ભોજાઈ એટલે કે ભાજપના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા અને કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજા વચ્ચેનો જંગ તેજ બન્યો છે. રીવાબાએ નયનાબાને શુભેચ્છા પાઠવી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, તો નયનાબાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે જનતા ભાજપથી કંટાળી ગઈ છે અને પરિણામ જ સાચો જવાબ આપશે. આ પારિવારિક જંગ હવે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
rivaba vs nayanaba   નણંદ ભોજાઈની ટક્કરમાં કોનું પલ્લું ભારે  જંગ થયો તેજ
Advertisement
  • Rivaba Vs Nayanaba : નણંદ-ભોજાઈનો રાજકીય જંગ તેજ
  • શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ નણંદ નયનાબાને આપી શુભેચ્છા
  • કોંગ્રેસના ઉમેદવાર નયનાબાને રીવાબાએ પાઠવી શુભકામના
  • શુભેચ્છા સાથે રીવાબાનો હુંકાર, 'વોર્ડ નં. 2માં ભાજપનો જ થશે વિજય'
  • રીવાબાની શુભેચ્છા પર નણંદ નયનાબા જાડેજાએ આપ્યો વળતો જવાબ
  • નયનાબાએ આભાર માની કહ્યું, 'જીત કોની થશે તે સમય બતાવશે'
  • જનતા કંટાળી ગઈ છે, પરિણામ જ બધું કહેશે: નયનાબા જાડેજા

Rivaba Vs Nayanaba : ગુજરાતના રાજકારણમાં હંમેશા ચર્ચામાં રહેતા રાજકોટ (Rajkot) શહેરમાં હાલ આગામી ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ ચૂંટણીમાં વોર્ડ નં. ૨ (Ward No. 2) ની બેઠક સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે, કારણ કે અહીં પારિવારિક સંબંધો અને રાજકીય વિચારધારાઓ એકબીજાની સામે છે. ભાજપ (BJP) ના દિગ્ગજ નેતા અને શિક્ષણમંત્રી રીવાબા જાડેજા (Rivaba Jadeja) અને કોંગ્રેસ (Congress) ના ઉમેદવાર નયનાબા જાડેજા (Nayanaba Jadeja) વચ્ચેનો રાજકીય જંગ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

રીવાબાએ પોતાનો રાજકીય હુંકાર પણ ભર્યો

તાજેતરમાં એક જાહેર પ્રસંગ દરમિયાન, શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ તેમના નણંદ અને કોંગ્રેસના ઉમેદવાર નયનાબાને ચૂંટણી માટે શુભકામનાઓ પાઠવી હતી. આ શુભેચ્છા માત્ર એક ઔપચારિકતા ન હતી, પરંતુ તેની સાથે રીવાબાએ પોતાનો રાજકીય હુંકાર પણ ભર્યો હતો. રીવાબાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "વોર્ડ નં. 2માં ભાજપનો જ વિજય થશે અને જનતાનું સમર્થન અમારા વિકાસ કાર્યો સાથે છે.'

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

જીત કોની થશે તે તો સમય જ બતાવશે: નયનાબા

રીવાબા દ્વારા આપવામાં આવેલી આ શુભેચ્છા પર નણંદ નયનાબા જાડેજાએ પણ ત્વરિત વળતો જવાબ આપ્યો હતો. નયનાબાએ રીવાબાની શુભેચ્છાનો સ્વીકાર કરતા આભાર માન્યો હતો, પરંતુ સાથે જ રાજકીય તેવર પણ બતાવ્યા હતા. નયનાબાએ કહ્યું, 'જીત કોની થશે તે તો સમય જ બતાવશે. અત્યારે ભાજપની નીતિઓથી જનતા કંટાળી ગઈ છે અને પરિવર્તન ઝંખી રહી છે. ચૂંટણીના પરિણામો જ બધું સાબિત કરી દેશે કે જનતા કોની સાથે છે.'

રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી

આ ઘટના બાદ રાજકોટ (Rajkot) ના રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે. એક તરફ ભાજપ પોતાની સત્તા જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે, તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર નયનાબાએ આ સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. પારિવારિક સંબંધો હોવા છતાં, રાજકીય મેદાનમાં બંને વચ્ચેનો આ મુકાબલો અત્યંત રસપ્રદ બની રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણીના દિવસે મતદારો આ 'નણંદ-ભોજાઈ' ના રાજકીય જંગમાં કોના પલ્લામાં વિજયનો તાજ મૂકે છે.

આ પણ વાંચો: Singanpor થી હર્ષભાઇ સંઘવીનો સણસણતો પ્રહાર: ' આવી બે-ચાર ચૌદશ તો દરેક જગ્યાએ હોય જ'

Tags :
Advertisement

.

×