Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: વતનનું ઘર જોવાના બદલે દુનિયા છોડી! મંદિરની ઓરડીમાં આધેડે કેમ કર્યો આપઘાત?

ગોંડલમાં 25 વર્ષથી મજૂરી કરતા ઓરિસ્સાના શંકરભાઈએ ભીમનાથ મહાદેવની ઓરડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. વતન જવાની તૈયારીઓ વચ્ચે તેમણે મોત કેમ વહાલું કર્યું તે રહસ્ય હજુ અકબંધ છે. ગોંડલ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
rajkot  વતનનું ઘર જોવાના બદલે દુનિયા છોડી  મંદિરની ઓરડીમાં આધેડે કેમ કર્યો આપઘાત
Advertisement
  • Rajkot: ગોંડલના ભીમનાથ મહાદેવની ઓરડીમાં આધેડે કર્યો આપઘાત
  • મૂળ ઓરિસ્સાના શંકરભાઈએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
  • મૃતક આધેડ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરતા

Rajkot: રાજકોટના ગોંડલ (Gondal) શહેરમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ગોંડલના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર (Bhimnath Mahadev Temple) ની ઓરડીમાં રહેતા એક આધેડ વ્યક્તિએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. મૃતકની ઓળખ શંકરભાઈ તરીકે થઈ છે, જેઓ મૂળ ઓરિસ્સાના બાલેશ્વર ગામના વતની હતા. તેઓ છેલ્લા 25 વર્ષથી ગોંડલના જૂના માર્કેટિંગ યાર્ડમાં આવેલી એક પાનની દુકાનમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે વર્ષોથી અહીં સ્થાયી થયેલા શંકરભાઈએ અચાનક આવું આત્યંતિક પગલું કેમ ભર્યું હશે.

RAJKOT SUCIDE_GujaratFirst (2) 22

Advertisement

વતનમાં જવાની ખુશી માતમમાં ફેરવાઈ

મળતી જાણકારી અનુસાર શંકરભાઈનો પરિવાર (Family) ઓરિસ્સામાં રહે છે, જ્યારે તેઓ અહીં ગોંડલમાં એકલવાયું (Solitary) જીવન જીવતા હતા. આસપાસના લોકોના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા કેટલાક સમયથી વતન જવાની તૈયારીઓ કરી રહ્યા હતા. સામાન્ય રીતે પરપ્રાંતિય શ્રમિકો જ્યારે વર્ષો પછી ઘરે જવાની તૈયારી કરતા હોય ત્યારે તેમના ચહેરા પર ખુશી હોય છે, પરંતુ શંકરભાઈના કિસ્સામાં આ ખુશીના બદલે મોતની પસંદગી કરવામાં આવી છે. આ વિરોધાભાસી પરિસ્થિતિએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

Advertisement

પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતા જ ગોંડલ એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે હોસ્પિટલ ખસેડ્યો છે. તેમના આપઘાત (Suicide) પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને ઓરિસ્સામાં રહેતા તેમના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ "સંબંધ રાખ નહીંતર...", Divya Savlani અને તેના મળતિયાઓનો પાઈપ વડે યુવક પર હુમલો!

Tags :
Advertisement

.

×