Rajkot: ખાદ્ય તેલના ભાવમાં જોવા મળી વધ-ઘટ, જાણો સિંગતેલનો નવો ભાવ
- Rajkot: સિંગતેલના ભાવમાં વધારો જ્યારે કપાસિયામાં થયો ઘટાડો
- સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે
- કપાસીયા તેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો
Rajkot: રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં વધ-ઘટ જોવા મળી છે. જેમાં સીંગતેલના ભાવમાં વધારો જ્યારે કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. તેમજ સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2525 થી 2605 રૂપિયાએ પહોંચ્યો છે. કપાસીયા તેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થતાં ડબ્બાનો ભાવ 2160-2210 રૂપિયાએ પહોંચ્યો છે.
ટેકાના ભાવે મગફળીની મોટા પ્રમાણમાં ખરીદી
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની મોટા પ્રમાણમાં ખરીદીને લીધે ઓપન યાર્ડમાં મગફળીના ભાવમાં વધારો થયો છે. ઓપન યાર્ડમાં સારી ક્વોલિટીની મગફળીના ભાવ વધતા સિંગતેલના ભાવમાં વધારો થયો છે.
ચાલુ વર્ષ કમોસમી વરસાદ પડતા સારી ક્વોલિટીની મગફળીની મળતર ઓછી હોવાના કારણે ભાવ વધ્યા છે. તેમજ આગામી સમયમાં સિંગતેલ અને મગફળીના ભાવમાં વધારો થઈ શકે છે.
Rajkot: નાગરિકોને શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ
રાજ્યના ખેડૂતો તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવે ખરીદ-વેચાણ કરી શકે તેવા હેતુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી ખંભાળિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નાગરિકોને શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Vadodara કલેક્ટર કચેરીને RDX બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી


