Rajkot : તો શું 1865 મંદિર તોડી પડાશે ? જાણો કેમ શરૂ થઈ ચર્ચા ?
રાજકોટમાં (Rajkot) ગેરકાયદેસરનાં બાંધકામ સામે મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે.
Advertisement
- Rajkot માં મનપાને બિનઅધિકૃત બાંધકામને બદલે મંદિરો પાડવામાં રસ!
- રાજકોટ મનપા 1865 મંદિર પર ડિમોલિશન હાથ ધરશે!
- રાજકોટ મનપા દ્વારા 1865 જેટલા મંદિરની યાદી તૈયાર કરાઈ
- મામલતદાર બાદ હવે મનપા દ્વારા મંદિરોને નોટિસ આપવાનું શરૂ
- TP અધિકારી કે.આર. સુમરા અને હેતલબેને કંઈપણ બોલવા કર્યો ઈન્કાર
Rajkot : રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને (RMC) જાણે બિનઅધિકૃત બાંધકામને બદલે મંદિરો તોડવામાં રસ હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. તે પાછળનું કારણ રાજકોટ મનપા દ્વારા તૈયારી કરેલી 1865 જેટલા મંદિરની યાદી છે, જેમની સામે આગામી સમયમાં ડિમોલિશનની કાર્યવાહી થઈ શકે છે. મામલતદાર બાદ હવે મનપા દ્વારા મંદિરોને નોટિસ આપવાનું શરૂ કરાયું છે.

