Rajkot : એસ.ટી વોલ્વો બસની અડફેટે વૃદ્ધાનું મોત, ડ્રાઈવરની સામે પોલીસે નોંધ્યો ગુનો
- Rajkot માં એસટી વોલ્વો બસના ચાલકની બેદરકારી
- ડ્રાઈવરની બેદરકારીના કારણે એક મહિલાનું મોત
- અકસ્માતના સીસીટીવી કેમેરા આવ્યા સામે
- અકસ્માત થતા આસપાસના લોકો મદદે દોડી આવ્યા
- 17 એપ્રિલ 2025ના રોજ બની હતી ઘટના
Rajkot : એસટી વોલ્વો બસના (st volvo bus) ડ્રાઈવર (driver) ની મોટી બેદરકારી સામે આવી છે જેમાં રોડ (road) પર ઉભી રહેલી મહિલાને બસના ચાલકે અડફેટે લીધા હતા અને મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જયાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત થયું છે, આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે અને મહત્વની વાત તો એ છે કે, ભર બજારમાં બસના ચાલકે ફૂલ સ્પીડમાં બસ હંકારી લોકોના જીવને પણ જોખમમાં મૂકયો હતો. આવા બેદરકારી ભર્યા ડ્રાઈવિંગ (driving) ના કારણે રોડ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.
રોડ પર ઉભી રહેલી મહિલાને અડફેટે લેતા મોત
રાજકોટમાં એસટી વોલ્વો બસના ચાલકે મહિલાને ઉડાવી દેતા મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, 17 એપ્રિલ 2026ના રોજ આ ઘટના બની હતી અને પાંચ દિવસ બાદ મહિલાનું મોત થયું છે, રાજકોટ બિ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે ગુનો નોધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, રાજકોટના મોચી બજારના મુખ્ય રોડ પર આ ઘટના બની છે, તો ડ્રાઈવરને જાણ હતી તેમ છત્તા તે ઉભો ના રહ્યો અને ફરાર થયો હતો તો સીસીટીવીના આધારે પોલીસને ગુનો નોંધવામાં સફળતા મળી છે.
રાજકોટના મોચી બજારના મુખ્ય રોડ પર બની ઘટના
રાજકોટના પારેવડી ચોકમાં 17 એપ્રિલે સર્જાયો હતો અકસ્માત અને અકસ્માતના લાઇવ CCTV ફૂટેજ આવ્યા સામે જેમાં પુરપાટ ઝડપે આવતી એસ.ટી વોલ્વો બસે વૃદ્ધ મહિલાને કચડી નાખી છે, જંગલેશ્વરના હુસેની ચોકમાં રહેતા હલુબેન અબ્દુલભાઇ ચાવડાનું મોત થયું છે અને પારેવડી ચોકમાં રોડ ક્રોસ કરતા સમયે વોલ્વો બસે કચડી નાખ્યા હતા, મૃતક મહિલા મોચી બજારમાં બહેનના ઘરે જતા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વોલ્વો બસના ડ્રાઇવર રણજીતસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો : Rajkot ના ધોરાજી હાઈવે પર ગોઝારો અકસ્માત, ખાનગી બસ પલટતા મુસાફરો નીચે દબાયા


