Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સુપેડી ગામ સજ્જડ બંધ, Election Boycott ની ચીમકી, મંદિરનો વિવાદ વકરતાં રવિદાસ બાપુએ શું કરી સ્પષ્ટતા?

ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરના મહંતો સામે ગેરવર્તન અને ભેદભાવના આક્ષેપો સાથે ગ્રામજનોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ગ્રામજનોએ ગામ બંધ પાળી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે, જ્યારે મહંતોએ આક્ષેપોને ફગાવ્યા છે. હાલમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસ તૈનાત કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે.
સુપેડી ગામ સજ્જડ બંધ  election boycott ની ચીમકી  મંદિરનો વિવાદ વકરતાં રવિદાસ બાપુએ શું કરી સ્પષ્ટતા
Advertisement
  •  સુપેડી ગામમાં મુરલી મનોહર મંદિરમાં Election Boycott ની ચીમકી
  • મહંતોની જોહુકમી અને દાદાગીરી સામે ગ્રામજનોનો ભારે વિરોધ
  • ગામમાં પ્રવેશદ્વાર અને ચોકમાં ઠેર-ઠેર લાગ્યા વિરોધ દર્શાવતા બેનર

રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજી (Dhoraji) તાલુકાના સુપેડી (Supedi) ગામમાં આવેલા ઐતિહાસિક મુરલી મનોહર મંદિરનો (Murali Manohar Temple) વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મંદિરના મહંતોની કથિત જોહુકમી અને દાદાગીરી સામે ગ્રામજનોએ એકસૂત્રે વિરોધ (Protest) નોંધાવ્યો છે. ગામ સજ્જડ બંધ રાકી ચૂંટણી બહિષ્કાર (Election Boycott) ની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે મહંત રવિદાસ બાપુ (Ravidas Bapu), બાલકદાસ બાપુ (Balakdas Bapu) અને ડી.સી. પટેલ (D.C. Patel)  દ્વારા ભક્તો અને દર્શનાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. સ્થાનિક લોકો સાથે સતત ગેરવર્તન અને અપમાનિત કરવાની ઘટનાઓ સામે આવતા લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.

Election Boycott  ની ચીમકી

આ વિવાદને પગલે સુપેડી ગામના તમામ વેપારીઓ અને રહેવાસીઓએ સ્વયંભૂ રીતે ગામ સજ્જડ બંધ (Shutdown) રાખ્યું છે. ગામના પ્રવેશદ્વારથી લઈને મુખ્ય ચોક સુધી ઠેર-ઠેર વિરોધ દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકીઆપી છે કે જ્યાં સુધી આ વિવાદિત મહંતોને મંદિરમાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે. આ ઉપરાંત, ગ્રામજનોએ આગામી સમયમાં ચૂંટણી બહિષ્કાર (Election Boycott) કરવાની પણ જાહેરાત કરી છે, જે શાસન અને તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

Advertisement

મહંત રવિદાસ બાપુની સ્પષ્ટતા

બીજી તરફ મહંત રવિદાસ બાપુએ મીડિયા સમક્ષ હાજર થઈને પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે, "મંદિર સનાતન ધર્મનું છે અને તે સર્વ સમાજ માટે ખુલ્લું છે." મહંતે પોતાની સ્પષ્ટતામાં (Clarification) કહ્યું કે તેઓ માત્ર મંદિરની મર્યાદા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વિરોધ પૂર્વગ્રહપ્રેરિત હોઈ શકે છે.

Advertisement

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વિવાદ વકરતા અને કોઈ અનિચ્છનીય ઘટના (Untoward Incident) ન બને તે માટે મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security) ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર (Administration) દ્વારા ગામમાં શાંતિ જાળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હાલમાં સમગ્ર મામલે તપાસ (Investigation) હાથ ધરવામાં આવી છે જેથી મંદિરની ગરિમા (Dignity) જળવાઈ રહે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં.

આ પણ વાંચો: Asaram ના આશ્રમ પર ફરી વળશે બુલડોઝર! જમીન પચાવી પાડ્યાનો હાઈકોર્ટમાં ખુલાસો

Tags :
Advertisement

.

×