ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ram Mokariya : રાજકોટ BJP માં મોટું આંતરિક ઘમાસાણ! રામ મોકરિયાને હવે 'No Entry'!

જાહેરમાં બેબાક નિવેદન આપતા રામ મોકરિયા સામે સંગઠને મોટી કાર્યવાહી કરી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.
05:02 PM Aug 05, 2025 IST | Vipul Sen
જાહેરમાં બેબાક નિવેદન આપતા રામ મોકરિયા સામે સંગઠને મોટી કાર્યવાહી કરી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.
RamMokria_Gujarat_first
  1. રાજકોટ-શહેર ભાજપના રાજકારણને લઇને મોટા સમાચાર (Ram Mokariya)
  2. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઇને લેવાયો મોટો નિર્ણય
  3. RMC અને શહેર ભાજપ સંગઠનનાં કાર્યક્રમોમાં રામ મોકરિયાને હવે નો-એન્ટ્રી!
  4. શહેર ભાજપ સંગઠનનાં કાર્યક્રમમાં મોકરિયાને આમંત્રણ ન આપવા સૂચના!

Rajkot Politics : રાજકોટ રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. RMC અને શહેર ભાજપ સંગઠનનાં (Rajkot BJP) કાર્યક્રમોમાં રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયાની (Ram Mokariya) હવે 'નો-એન્ટ્રી' નો નિર્ણય કરાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેર ભાજપ પ્રમુખને આ અંગે સૂચના આપવામાં આવી છે. જાહેરમાં બેબાક નિવેદન આપતા રામ મોકરિયા સામે સંગઠને મોટી કાર્યવાહી કરી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં અંબાલાલ પટેલે કરી આ વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી

RMC અને શહેર ભાજપ સંગઠનનાં કાર્યક્રમોમાં રામ મોકરિયાને હવે નો-એન્ટ્રી!

રાજકોટ શહેર ભાજપમાં મોટું આંતરિક ઘમાસાણ સામે આવ્યું છે. કારણે કે એવા અહેવાલ છે કે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની (Ram Mokariya) RMC અને શહેર ભાજપ સંગઠનનાં કાર્યક્રમોમાં 'નો-એન્ટ્રી' નો નિર્ણય લેવાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેર ભાજપ સંગઠનનાં (Rajkot BJP) કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાને આમંત્રણ ન આપવાની સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે, રામ મોકરિયા તેમનાં બેબાક નિવેદનો માટે જાણીતા છે. આથી, જાહેરમાં આ પ્રકારનાં નિવેદનો આપતા હોવાથી રામ મોકરિયા સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર એકવાર ફરી શારીરિક શોષણનો આરોપ, વિદ્યાર્થીનીએ જાહેરમાં આવીને કહ્યું...

શું રાજકોટ ભાજપમાં તિરાડ હવે ખાઈ બની ચૂકી છે ?

જો કે, રામ મોકરિયા સામે આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ જામ્યો છે. કેટલાક રાજકીય નિષ્ણાતો આ નિર્ણયથી રાજકોટ ભાજપનો આંતરિક જુથવાદ સામે આવ્યો હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે કેટલાક સવાલ કરી રહ્યા છે કે શું રાજકોટ ભાજપમાં તિરાડ હવે ખાઈ બની ચૂકી છે ? જો કે, આ મામલે રામ મોકરિયાની હાલ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ, રામ મોકરિયા આ અંગે ક્યારે અને શું નિવદેન આપશે તેને લઈને પણ ચર્ચાઓ વેગવંતી થઈ છે.

આ પણ વાંચો - Rajkot News: પાટીદાર દિકરીના મિલકતનો વિવાદ વકર્યો, સમાજના આગેવાનો પરિવારની લેશે મુલાકાત

Tags :
GUJARAT FIRST NEWSRAJKOTRajkot BJPRajkot BJP OrganizationRajkot politicsRajya Sabha MPRam MokariyaRMCTop Gujarati News
Next Article