Ahmedabad Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથના દરબારમાં હર્ષભાઈ સંઘવી, પ્રભુની પૂજા કરી કર્યું ભવ્ય ધ્વજારોહણ
Ahmedabad Jagannath Rath Yatra 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી અને મંદિરના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર પરિસર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત પણ મંદિર પહોંચ્યા હતા.
Advertisement
Ahmedabad Jagannath Rath Yatra 2026: અમદાવાદ (Ahmedabad) ના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન જગન્નાથ મંદિરે (Jagannath Temple) ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Deputy CM Harsh Sanghavi) એ આજે ભગવાન જગન્નાથજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પ્રભુની વિશેષ પૂજા (Special Puja) અર્ચના કરવામાં આવી હતી. તેમણે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન કરી રાજ્યની જનતાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

