ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથ આ સમયમાં ગુંડિચા દેવી મંદિરે જાય છે. એવી ધાર્મિક માન્યતા છે કે રથયાત્રા દરમિયાન પ્રભુના રથના પૈડાં ખેંચવાથી મનુષ્યના તમામ પાપો ધોવાઈ જાય છે અને મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે.
Jagannath Rathyatra 2026 : 108 ઘડાના જળાભિષેક બાદ પ્રભુ થયા બીમાર !
રથયાત્રા ભલે અષાઢ મહિનામાં શરૂ થતી હોય, પરંતુ આ ઉત્સવની પરંપરા જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાથી જ શરૂ થઈ જાય છે. આ દિવસે 'સ્નાન પૂર્ણિમા' (Snana Purnima) નો તહેવાર ઉજવાય છે, જેમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિઓ પર 108 ઘડાના પવિત્ર જળથી શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક કરવામાં આવે છે. અતિશય સ્નાન કરવાને કારણે ભગવાન જગન્નાથ આગામી 15 દિવસ સુધી બીમાર પડી જાય છે તેવી લોકવાયકા છે. સ્નાન પૂર્ણિમા સંપન્ન થઈ ચૂકી હોવાથી પ્રભુ હાલમાં બીમાર છે અને આ સમયગાળાને 'અનસાર' અથવા 'અનાવસર કાળ' કહેવામાં આવે છે.
માંદગીમાં પ્રભુને છપ્પન ભોગ નહીં, પરંતુ અપાય છે ખાસ પ્રસાદ
અનાવસર કાળ દરમિયાન પુરી જગન્નાથ મંદિરના ગર્ભગૃહના દ્વાર ભક્તો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે અને પ્રભુ આરામ કરે છે. આ 15 દિવસ દરમિયાન ભગવાનને સામાન્ય દિવસોની જેમ છપ્પન ભોગ કે પકવાન ચઢાવવામાં આવતા નથી. વૈદ્ય પરંપરા (Ayurvedic Tradition) અનુસાર, ભગવાનને જલ્દી સ્વસ્થ કરવા માટે ખાસ પ્રકારના કાઢા (ઉકાળા), જડીબુટ્ટીઓ અને કુદરતી ઔષધિઓમાંથી તૈયાર કરાયેલી આયુર્વેદિક દવાઓનો ભોગ ધરાવવામાં આવે છે. પ્રભુ સંપૂર્ણ સાજા થઈ જાય ત્યાર બાદ ભક્તોને 'નવયૌવન દર્શન' (Navyuvana Darshan) દ્વારા તેમની પ્રથમ ઝલક મળે છે અને ત્યારબાદ જ ભવ્ય રથયાત્રા પ્રસ્થાન કરે છે.
પ્રભુ બીમારીના કારણે 15 દિવસ સુધી રહેશે 'અનસાર' ઓરડામાં
ભગવાનને આયુર્વેદિક દવા સાથે, દૂધ, ઘી, મધ, સાકર, અને તુલસીના પાનનો ભોગ પણ ચઢાવવામાં આવે છે. તે સાથે, ભગવાનને નારીયેળ પાણી અને તાજો આહાર જેવો કે ખીચડી, મગ, ઘી-વાળો આહાર, ગરમ શાકભાજી અને તાજું શાક-ભજી પણ ભોગમાં અપાય છે. અસલતમાં, ભગવાનને બીમારીના સમય દરમિયાન સાધારણ આહારનો ભોગ ચઢાવી તેઓનું તંદુરસ્ત રીતે ઉપચાર કરવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવે છે.
આ પણ વાંચો : Jagannath Rath Yatra 2026: પુરી જગન્નાથ મંદિરનો રહસ્યમય ઇતિહાસ, સદીઓ સુધી રેતીમાં દબાયેલું રહ્યું હતું ધામ, કેવી રીતે શરૂ થઈ રથયાત્રા