Jagannath Rathyatra 2026: કૌટુંબિક વાતાવરણ અને માતા લક્ષ્મીની ભૂમિકા
પુરીના જગન્નાથ ધામને ધરતી પરનું વૈકુંઠ માનવામાં આવે છે. ભગવાન જગન્નાથ અહીં પોતાના ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા અને સેવકો સાથે રહે છે. માતા લક્ષ્મી આ ક્ષેત્રની સ્વામિની ગણાય છે. તેઓ મંદિરના તમામ ભંડારગૃહની માલિકી ધરાવે છે. વસ્ત્ર, ધન, રત્ન અને અન્ન જેવા વિવિધ ભંડારગૃહમાંથી અન્ન ભંડાર સૌથી વિશેષ છે. આ અન્ન ભંડાર ક્યારેય ખાલી થતો નથી. આ ભંડારના ઉપયોગથી જ ભગવાન માટે દિવ્ય મહાપ્રસાદ તૈયાર થાય છે.
Jagannath Rathyatra 2026: મહાભોગના રહસ્યની શરૂઆત
એકવાર દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને તેમના રામ અવતારના વનવાસના દિવસો યાદ અપાવ્યા. અને દુઃખ વ્યક્ત કર્યું કે, રામાવતારમાં ભગવાને 12 વર્ષ સુધી અન્ન ગ્રહણ નહોતું કહ્યું. માટે માતા લક્ષ્મીએ ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ પોતાના હાથે ભોજન બનાવીને ભગવાનને ખવડાવવા માંગે છે. ભગવાન વિષ્ણુએ તેમની ઈચ્છા સ્વીકારી. તેમણે શરત મૂકી કે આ મહાભોગ માત્ર તેમના માટે જ બનશે. કોઈ પણ અન્ય જીવ આ પ્રસાદ મેળવી શકશે નહીં. ત્યારથી પુરીના મંદિરમાં ભગવાન માટે ખાસ મહાભોગ બનાવવાની પરંપરા શરૂ થઈ.
દેવતાઓ માટે અપ્રાપ્ય મહાભોગ
ભગવાન વિષ્ણુના વચનને કારણે આ મહાભોગ અન્ય કોઈ માટે સુલભ નહોતો. એકવાર મહાદેવ શિવ અને બ્રહ્માજી પુરી પહોંચ્યા. તેમણે માતા લક્ષ્મી પાસે પ્રસાદની માંગણી કરી. માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુના વચનનું કારણ આપીને તેમને પ્રસાદ આપવાની મનાઈ કરી. અનેક વર્ષો સુધી આ મહાભોગ માત્ર ભગવાન વિષ્ણુ માટે જ બનતો રહ્યો. તે સમયે સામાન્ય લોકો કે દેવતાઓ માટે આ પ્રસાદ મેળવવો અશક્ય હતો.
દેવર્ષિ નારદની 12 વર્ષની તપસ્યા
કહેવાય છે કે, એકવાર એક ભક્તે નારદ મુનિને મહાભોગના મહિમા વિશે જણાવ્યું. આ જાણીને નારદ મુનિને તેને ચાખવાની તીવ્ર ઈચ્છા થઈ. તેમણે માતા લક્ષ્મીની સેવા કરવાનું નક્કી કર્યું. તેઓ 12 વર્ષ સુધી માતા લક્ષ્મીની સેવામાં રહ્યા. તેમણે વનમાંથી ફૂલ અને બળતણ લાવવાનું કાર્ય કર્યું. એક દિવસ માતા લક્ષ્મીએ તેમને ભોજન બનાવવાની વિધિ બતાવી. તેઓ 9 માટીના પાત્રોને એકની ઉપર એક ગોઠવીને ચૂલા પર રાખતા હતા. આમાં આશ્ચર્યની વાત એ હતી કે, ઉપરના પાત્રનું ભોજન પહેલા અને નીચેના પાત્રનું અંતમાં તૈયાર થતું હતું.
શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની ઉપલબ્ધતા
નારાદ મુનિએ આ દિવ્ય પ્રક્રિયા જોઈ અને તેઓ ચકિત થઈ ગયા. મહાભોગ મેળવવાના તેમની ઈચ્છા વધુને વધુ તીવ્ર બની. પરંતુ તેમના તમામ પ્રયત્નો સતત નિષ્ફળ રહ્યા. અંતે માતા લક્ષ્મીએ આ દિવ્ય ભોગને ભક્તો માટે સુલભ બનાવ્યો. આજે પુરીના મંદિરમાં દરરોજ 56 ભોગ તૈયાર થાય છે. આ મહાપ્રસાદ મંદિરના દર્શને આવતા તમામ શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવે છે. આ રીતે માતા લક્ષ્મીની કૃપાથી જ આજે દરેક ભક્તને આ પવિત્ર પ્રસાદનો લાભ મળે છે.
આ પણ વાંચો--- Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથની રથયાત્રા અને રસગુલ્લાનો અનોખો સંબંધ, જ્યારે માતા લક્ષ્મી ક્રોધિત થયા