Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'ઉડાન'થી ઘર ઘરમાં જાણીતું નામ બનેલ કવિતા ચૌધરીનું નિધન

ભારતની એક સમયની ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રીના અવસાનના  દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી શો 'ઉડાન'થી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી કવિતા ચૌધરી  હવે આપણી વચ્ચે નથી. તેણે હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ દુખદ સમાચાર સામે આવ્યા બાદ...
 ઉડાન થી ઘર ઘરમાં જાણીતું નામ બનેલ કવિતા ચૌધરીનું નિધન
Advertisement

ભારતની એક સમયની ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રીના અવસાનના  દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી શો 'ઉડાન'થી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી કવિતા ચૌધરી  હવે આપણી વચ્ચે નથી. તેણે હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ દુખદ સમાચાર સામે આવ્યા બાદ તેના ચાહકો અને ટેલિવિઝન ઇંડસ્ટ્રી ખૂબ જ શોકમાં છે. તેણે દૂરદર્શનના લોકપ્રિય શો 'ઉડાન'માં આઈપીએસ ઓફિસર કલ્યાણી સિંહની ભૂમિકા ભજવીને ઈન્ડસ્ટ્રીમાં અને લોકોના દિલમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું હતું.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, કવિતા ચૌધરીના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એટલે કે 67 વર્ષની ઉંમરે કવિતા ચૌધરીએ હાર્ટ એટેકના કારણે જીવનનો અંત આવ્યો છે.

Advertisement

કવિતા ચૌધરીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું

મળતી માહિતી અનુસાર કવિતા ચૌધરી છેલ્લા ત્રણ-ચાર દિવસથી અમૃતસરની પાર્વતી દેવી હોસ્પિટલમાં દાખલ હતી. ત્યાં તેની સારવાર ચાલી રહી હતી પરંતુ ગઈકાલે રાત્રે 8:30 કલાકે અભિનેત્રીએ અમૃતસરની આ જ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ખરેખર, અભિનેત્રી ઘણા વર્ષોથી કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડિત હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી. પણ કદાચ ઈશ્વરના મનમાં કંઈક બીજું હતું.

Advertisement

હવે કવિતા ચૌધરીના અંતિમ સંસ્કારને લઈને પણ મહત્વની માહિતી સામે આવી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કવિતા ચૌધરીના અંતિમ સંસ્કાર અમૃતસરમાં જ કરવામાં આવશે. હવે આ સમાચાર સાંભળીને ચાહકો પણ નિરાશ થઈ ગયા છે. દરેક જણ દુખી હૃદય સાથે અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળે છે.

રિયલ લાઈફ સ્ટોરી પર બનાવ્યો હતો ‘ઉડાન’ શો 

કવિતાનો લોકપ્રિય શો ‘ઉડાન’ વાસ્તવમાં વર્ષ 1989માં આવ્યો હતો. કવિતા ચૌધરીએ આ શોમાં માત્ર અભિનય જ નહીં કર્યો પરંતુ તે શોના લેખન અને દિગ્દર્શનમાં પણ સામેલ હતી. વાસ્તવમાં, આ શો અભિનેત્રીની વાસ્તવિક બહેન કંચન ચૌધરી ભટ્ટાચાર્યની વાસ્તવિક જીવનની વાર્તાથી પ્રેરિત હતો, જે કિરણ બેદી પછી બીજા IPS અધિકારી તરીકે આગળ આવી હતી. આ શોમાં કામ કરીને કવિતા લોકો માટે મહિલા સશક્તિકરણનું મજબૂત ઉદાહરણ બની ગઈ. આ ઉપરાંત, તે લોકપ્રિય સર્ફ એડ માટે પણ જાણીતી છે, જેમાં તે લલિતા જીની ભૂમિકામાં જોવા મળી હતી.

આ પણ વાંચો -- શું શાહિદની ફિલ્મ TBMAUJ ની લાગશે નૈયા પાર ? જાણો કેવા રહ્યા ફિલ્મના હાલ

Tags :
Advertisement

.

×