Rajkot TRP અગ્નિકાંડમાં મોટો ખુલાસો, SITની તપાસમાં સામે આવી ગંભીર હકીકત
Rajkot TRP Game Zone: રાજકોટમાં એ 25 તારીખનો શનિવાર કાળમુખો સાબિત થયો હતો. આ અગ્નિકાંડમાં 33 લોકો જીવતા ભડથું થયાના સમાચાર સામે આવ્યા હતાં. આ મામલે વધારે વાત કરવામાં આવે તો અત્યારે ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી....
Advertisement
Rajkot TRP Game Zone: રાજકોટમાં એ 25 તારીખનો શનિવાર કાળમુખો સાબિત થયો હતો. આ અગ્નિકાંડમાં 33 લોકો જીવતા ભડથું થયાના સમાચાર સામે આવ્યા હતાં. આ મામલે વધારે વાત કરવામાં આવે તો અત્યારે ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. મળતી વિગતો પ્રમાણે રાજકોટ અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, અગ્નિકાંડમાં તપાસ માટે રચાયેલી એસઆઈટી ટીમ પરત ફરી છે, હવે અગ્નિકાંડમાં લેવાયેલા નિવેદનો પર એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રાજકોટમાં અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદનો પર આ રિપોર્ટ તૈયારા કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

