Accident : કવર્ધામાં મોટી દુર્ઘટના, પીકઅપ વાહન ખાઈમાં ખાબકી, 18 લોકોના મોત...
Chhattisgarh : જિલ્લા કુક દરવાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક અકસ્માત (Accident) થયો છે. અહીં બહુપાણી વિસ્તારમાં તેંદુના પાન તોડીને પરત ફરી રહેલી પીકઅપ વાહન ઊંડી ખાઈમાં ખાબકી હતી. પીકઅપમાં રહેલા 18 લોકોના મોત થયા છે. આ અક્સમાતમાં ચાર લોકો ઘાયલ થયા છે તેવું પણ કહેવામાં આવ્યું છે. કબીરધામના પોલીસ અધિક્ષક ડો, અભિષેક પલ્લવે ઘટનાણી પુષ્ટિ કરી છે. તેમણે, જણાવ્યું કે, આ અકસ્માત (Accident)માં 18 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ છે. પોલીસના વાહનોમાં સવાર ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
#UPDATE | Chhattisgarh | 18 people have died & four are injured after a pick-up vehicle overturned near the Kawardha area: Abhishek Pallav, Kawardha SP.
— ANI (@ANI) May 20, 2024
તેંદુના પાન તોડીને પરત ફરી રહ્યા હતા...
ઘટના સ્થળ વનાચલ વિસ્તારનું હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તમામ લોકો પીકઅપમાં મુસાફરી કરી રહ્યા હતા. આ તમામ લોકો બહુપાણી વિસ્તારમાં તેંદુના પાન તોડીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન અચાનક પીકઅપ કાબુ બહાર જઈને ખાડામાં ખાબકી ગઈ હતી. અકસ્માત (Accident) બાદ ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. આ ઘટનામાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 17 મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે એક પુરૂષનું મોત થયું છે. તમામ મૃતકો સેમરાહ ગામના રહેવાસી છે.
નાયબ મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું...
कवर्धा में मजदूरों से भरी पिकअप वाहन पलटने से 15 लोगों के निधन की खबर अत्यंत पीड़ादायक है। मेरी शोक-संवेदनाएं उन सभी परिवारों के साथ हैं, जिन्होंने इस दुर्घटना में अपनों को खोया है।
इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं।
राज्य सरकार की देखरेख में…
— Vijay sharma (मोदी का परिवार) (@vijaysharmacg) May 20, 2024
નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ કવર્ધામાં પીકઅપ વાહન પલટી જવાથી થયેલા મોતના સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે. દુર્ઘટનાની માહિતી મળતા જ નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા. ડેપ્યુટી CM વિજય શર્માએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે 'કવર્ધામાં મજૂરોથી ભરેલી પીકઅપ વાહન ખાઈમાં ખાબકી જવાથી 15 લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદાયક છે. મારી સંવેદના એ તમામ પરિવારો સાથે છે જેમણે આ અકસ્માત (Accident)માં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતો અને તેમના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં રોકાયેલા છે.
આ પણ વાંચો : Lok Sabha Election 2024 5th Phase LIVE : બોલિવૂડ સિતારાઓએ કર્યું મતદાન?, જાણો પળે પળની Updates
આ પણ વાંચો : BABA RAMDEV ફરી વિવાદમાં, પતંજલિ એલચી સોન પાપડી ફૂડ ટેસ્ટમાં ફેલ
આ પણ વાંચો : Iran President ને લઇ PM મોદીએ જતાવી ચિંતા, કહ્યું- અમે તમારી સાથે છીયે


