નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને રાહુલ ગાંધીએ ચાબખા વરસાવ્યા, ટ્વીટ કરી કહી આ વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. વિરોધ પક્ષોએ આ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. વિરોધ પક્ષોની માંગ હતી કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. હવે વિરોધ પક્ષો તરફથી પણ પ્રતિક્રિયા આવવા લાગી છે....
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. વિરોધ પક્ષોએ આ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. વિરોધ પક્ષોની માંગ હતી કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. હવે વિરોધ પક્ષો તરફથી પણ પ્રતિક્રિયા આવવા લાગી છે. આ મામલે કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યુ હતું અને કહ્યું હતું કે નવી સંસદ એ જનતાનો અવાજ છે. વડાપ્રધાન નવી સંસદના ઉદ્ઘાટનને રાજ્યાભિષેક તરીકે સમજી રહ્યાં છે.
રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યુ
संसद लोगों की आवाज़ है!
प्रधानमंत्री संसद भवन के उद्घाटन को राज्याभिषेक समझ रहे हैं।
— Rahul Gandhi (@RahulGandhi) May 28, 2023
આરજેડીએ સંસદ ભવનની સરખામણી કોફિન સાથે કરી
આરજેડીએ ટ્વીટ કરીને નવા સંસદ ભવનની સરખામણી કોફિન સાથે કરી છે. નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન બાદ આરજેડી દ્વારા એક ટ્વીટ કરવામાં આવી હતી. આ ટ્વીટમાં આરજેડીએ નવા સંસદ ભવન સાથે કોફિનનો ફોટો શેર કર્યો અને સાથે લખ્યું હતું કે આ 'શું' છે?
ये क्या है? pic.twitter.com/9NF9iSqh4L
— Rashtriya Janata Dal (@RJDforIndia) May 28, 2023
Advertisement
નવી સંસદનું ઉદ્ઘાટન સરમુખત્યારશાહી : જેડીયુ
જેડીયુએ કહ્યું કે નવા સંસદ ભવન દ્વારા દેશને કલંકનો ઈતિહાસ લખવામાં આવી રહ્યો છે. જેડીયુના નીરજ કુમારે કહ્યું નવી સંસદનું ઉદ્ઘાટન સરમુખત્યારશાહી છે અને દેશમાં મોદી ઈતિહાસનો અમલ થઈ રહ્યો છે. નવી સંસદ દ્વારા દેશને કલંકનો ઈતિહાસ લખવામાં આવી રહ્યો છે.
सेंगोल राजदंड की स्थापना पूजन में केवल दक्षिण के कट्टरपंथी ब्राह्मण गुरुओं को बुलाया जाना अत्यंत दुर्भाग्यपूर्ण है। भाजपा सरकार का यदि पंथनिरपेक्ष संप्रभु-राष्ट्र भारत में विश्वास होता तो देश के सभी धर्म गुरुओं यथा- बौद्ध धर्माचार्य (भिक्षुगण), जैन आचार्य (ऋषि), गुरु ग्रंथी साहब,…
— Swami Prasad Maurya (@SwamiPMaurya) May 28, 2023
Advertisement
સ્વામી પ્રસાદ મૌર્યએ સવાલો ઉઠાવ્યા
સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ સેંગોલની સ્થાપનામાં દક્ષિણના ગૌણ સંતોને બોલાવવા પર સવાલ ઉઠાવ્યા હતા. મૌર્યએ ટ્વીટ કર્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે માત્ર દક્ષિણના કટ્ટરવાદી બ્રાહ્મણ ગુરુઓને સેંગોલની સ્થાપના પૂજા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભાજપ સરકારે તમામ ધર્મગુરુઓને આમંત્રણ આપવું જોઈતું હતું. આમ ન કરીને ભાજપે તેની ભ્રષ્ટ માનસિકતા અને ઘૃણાસ્પદ વિચારસરણી દર્શાવી છે.
કોંગ્રેસે રાષ્ટ્રપતિને ન બોલાવવા પર સવાલ ઉઠાવ્યા
કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાષ્ટ્રપતિને સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં આમંત્રણ ન આપવા પર કહ્યું કે આ પદ પર બેસનાર પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિને તેમની બંધારણીય ફરજો નિભાવવા દેવામાં આવી રહી નથી. રાષ્ટ્રપતિને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ સાથે જયરામે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન સંસદીય પ્રક્રિયાઓને નફરત કરે છે, જેઓ ભાગ્યે જ સંસદમાં હાજરી આપે છે અને ઓછી કાર્યવાહીમાં ભાગ લે છે. તે વડાપ્રધાન નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.


