Sabarkantha: મધ્યાહ્ન ભોજનમાં ગરોળી મામલે નવો વળાંક, શિક્ષક અને આચાર્યના બચાવમાં શૈક્ષણિક સંઘ મેદાનમાં
Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં 10 ઓગસ્ટના રોજ મધ્યાહ્ન ભોજન (Mid-Day Meal) માંથી ગરોળી નીકળવાના કેસમાં શિક્ષકને ફરજમુક્ત કરવા અને આચાર્યને નોટિસ સામે પ્રાથમિક શૈક્ષણિક સંઘ મેદાનમાં આવ્યું છે. PM પોષણ યોજના હેઠળ ભોજન બનાવવાની જવાબદારી અલગ હોવાથી શિક્ષકને પુનઃ ફરજ પર લેવા કલેક્ટરને આવેદનપત્ર સોંપાયું છે.
Advertisement
Mid Day Meal Gujarat: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં શાળાના મધ્યાહ્ન ભોજન (Mid-Day Meal) માંથી ગરોળી નીકળવાની બનેલી ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા શિક્ષક અને આચાર્ય સામે કરવામાં આવેલી શિક્ષાત્મક કાર્યવાહી સામે શૈક્ષણિક આલમમાં ઉગ્ર રોષ ફેલાયો છે. આ મામલે પ્રાથમિક શૈક્ષણિક સંઘ અમદાવાદ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર સુપરત કરીને શિક્ષકને પુનઃ ફરજ પર લેવા તેમજ આચાર્ય સામેની નોટિસ તાત્કાલિક પાછી ખેંચવાની ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે.

