Gujarat: અમરેલીમાં બિલ્ડરનાં પુત્ર રવિ પાનસુરીયાનાં ગુમ થવા મામલે ટ્વિસ્ટ!
- Gujarat: આક્ષેપિત દિક્ષિત પટેલે મીડિયા સમક્ષ આવી મોટો ખુલાસો કર્યો
- જેમાં જણાવ્યું છે કે મને ફસાવવા માટે રવિએ અંતિમ ચિઠ્ઠીમાં મારું નામ લખ્યું
- રવિ અને તેના પિતા સહિતની ટોળકીએ મારી સાથે કરોડોની છેતરપિંડી કરી
Gujarat: અમરેલીમાં બિલ્ડરનાં પુત્ર રવિ પાનસુરીયાનાં ગુમ થવા મામલે ટ્વિસ્ટ! આક્ષેપિત દિક્ષિત પટેલે મીડિયા સમક્ષ આવી મોટો ખુલાસો કર્યો છે. જેમાં જણાવ્યું છે કે મને ફસાવવા માટે રવિએ અંતિમ ચિઠ્ઠીમાં મારું નામ લખ્યું છે. રવિ અને તેના પિતા સહિતની ટોળકીએ મારી સાથે કરોડોની છેતરપિંડી કરી છે. તેમની સાઇટમાં મેં કરેલ રોકાણ વાળી મિલ્કત સુરેશ અને રવિએ ખોટી સહીઓ કરી વેચી દીધી છે.
સિદ્ધાર્થ પેરેડાઇઝ અને સિદ્ધેશ્વર પેરેડાઇઝ મેં 6.83 કરોડનું રોકાણ કર્યું
મેં સુરેશ અને રવિ પાનસુરીયાની વડોદરાની સાઇટમાં રોકાણ કર્યું હતું. સિદ્ધાર્થ પેરેડાઇઝ અને સિદ્ધેશ્વર પેરેડાઇઝ મેં 6.83 કરોડનું રોકાણ કર્યું હતું. મેં રવિ અને તેના પિતા સુરેશ પાનસુરીયા વિરુદ્ધ હરણી પોલીસ મથકમાં અરજી કરી હતી. જેની ચાર મહિનાથી ચાલતી પોલીસ તપાસ હવે પૂર્ણતાનાં આરે હતી. જેથી FIR થવાનાં ડરથી રવિ પાનસુરીયા ગુમ થયો છે.
Gujarat: મારે રવિ પાસેથી રૂપિયા લેવાનાં નીકળતા હતા
મારે રવિ પાસેથી રૂપિયા લેવાનાં નીકળતા હતા પણ તેઓ આપતાં ન હતા. તથા મને ફસાવવા માટે રવિ પાનસુરીયા મારું નામ લખીને ગુમ થયા છે. મેં કોઈ વ્યાજ નથી લીધું કે વ્યાજ માટે કોઈ ધમકી નથી આપી. દિક્ષિત પટેલ ગોધરાનાં બહુચર્ચિત NEET કાંડમાં આરોપી છે. તથા NEET કાંડમાં હાલ દિક્ષિત પટેલ જામીન પર મુક્ત છે.
આ પણ વાંચો: Junagadh: અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા શરૂ, 1115 સ્પર્ધકોએ દોટ લગાવી


