Champions Trophy Ind vs Pak : જો પાકિસ્તાન ભૂલથી જીતી જાય તો ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં કેવી રીતે પહોંચશે?
- ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે પાકિસ્તાન
- જો ટીમ ઈન્ડિયા હારી જાય, તો તે સેમિફાઇનલમાં કેવી રીતે પહોંચશે?
- પહેલી મેચમાં બાંગ્લાદેશનો પરાજય થયો હતો
Champions Trophy Ind vs Pak : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનો હાઇ-વોલ્ટેજ મેચ આજે રવિવારે રમાશે. આ મેચ દુબઈમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાન ટીમને ન્યુઝીલેન્ડ સામે 60 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની શાનદાર શરૂઆત કરી હતી. હવે ટીમ ઈન્ડિયાની નજર સેમિફાઈનલ પર ટકેલી છે. જ્યારે પાકિસ્તાન સામે ટુર્નામેન્ટમાં ટકી રહેવાનો પડકાર છે.
જો ટીમ ઈન્ડિયા હારી જાય તો શું થશે?
પરંતુ આ સમયે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જાય તો શું થશે. ભારતીય ટીમ પાસે હાલમાં તેની પહેલી મેચ જીત્યા બાદ 2 પોઈન્ટ છે અને તે ગ્રુપ Aમાં ન્યુઝીલેન્ડ પછી બીજા સ્થાને છે. જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને હરાવે છે, તો મોટાભાગે તેને સેમિફાઇનલની ટિકિટ મળશે. પરંતુ જો ટીમ હારી જાય તો ગ્રુપ A સંપૂર્ણપણે ફસાઈ જશે. જો ટીમ ઈન્ડિયા હારી જાય છે, તો તેના અને પાકિસ્તાનના 2 મેચમાં એક જીત અને એક હાર સાથે 2-2 પોઈન્ટ થશે. પછી ન્યુઝીલેન્ડની ટીમ માટે સેમિફાઇનલમાં પહોંચવું થોડું સરળ બનશે. પછી ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે નેટ રન રેટ અંગે સમસ્યા ઊભી થશે. આવી સ્થિતિમાં, જો ટીમ ઈન્ડિયા સીધી સેમિફાઇનલમાં પહોંચવા માંગતી હોય, તો તેણે આજે પાકિસ્તાનને હરાવવું પડશે.
ટુર્નામેન્ટની પોઈન્ટ સિસ્ટમ શું છે?
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં દરેક જીત માટે ટીમોને બે પોઈન્ટ આપવામાં આવશે. ગ્રુપ સ્ટેજમાં જો મેચ ટાઈ થાય તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. દરેક ગ્રુપમાં ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. જો ગ્રુપ સ્ટેજ પછી ટીમોના પોઈન્ટ સમાન હોય, તો ટીમો નેટ રન રેટના આધારે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
આ પણ વાંચો: Donald Trump on USAID: 'ભારતને ચૂંટણી ભંડોળની જરૂર નથી...', ડોનાલ્ડ ટ્રમ્પ ફરી USAID પર બોલ્યા