Gambhir Response kirti Azad : વર્લ્ડ કપ જીત્યા બાદ મંદિર કેમ ગયા? કીર્તિ આઝાદના સવાલ પર ગંભીર ભડક્યા
- વર્લ્ડ કપ ટ્રોફી સાથે મંદિર દર્શન પર રાજકીય રાર!
- T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હનુમાન મંદિરે પહોંચ્યા ગંભીર અને જય શાહ
- TMC સાંસદ કીર્તિ આઝાદે મંદિર દર્શનને ગણાવ્યું 'ભેદભાવપૂર્ણ' કૃત્ય
- "ખેલાડીઓની મહેનતનું અપમાન ન કરો" - ગૌતમ ગંભીરનો આકરો પ્રહાર
- હરભજન સિંહે પણ આઝાદના નિવેદન સામે દર્શાવી ભારે નારાજગી
Gambhir Response kirti Azad : ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ (ICC Men's T20 World Cup) ના ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઈતિહાસ રચ્યો છે. જોકે, આ ઐતિહાસિક જીત બાદ શરૂ થયેલો એક વિવાદ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જીત બાદ કેપ્ટન સૂર્યા, કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) અને બીસીસીઆઈ સચિવ જય શાહ અમદાવાદના પ્રસિદ્ધ હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા, જેને લઈને ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે સવાલો ઉઠાવ્યા છે.
SHAME ON TEAM INDIA! 😡
When we won the World Cup under Kapil Dev in 1983, we had Hindu Muslim Sikh and Christian in the team.
We brought the trophy to our religious birth place our motherland India Bharat Hindustan
Why The Hell Is The Indian Cricket Trophy is being Dragged.…
— Kirti Azad (@KirtiAzaad) March 9, 2026
Gambhir Response kirti Azad : શું હતો વિવાદ?
1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય કીર્તિ આઝાદે (Kirti Azad) ટીમ ઈન્ડિયાના આ પગલાં પર ટીકા કરતા કહ્યું કે, ટ્રોફીને માત્ર મંદિર જ કેમ લઈ જવામાં આવી? તેમણે આક્ષેપ કર્યો હતો કે જો ટ્રોફી મંદિરે જાય છે, તો તેને અન્ય ધર્મોના પૂજા સ્થળો પર પણ લઈ જવી જોઈએ. આઝાદે આ નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો.
ગૌતમ ગંભીરનો સણસણતો જવાબ
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. ગંભીરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "આ એવો મુદ્દો જ નથી કે જેનો જવાબ આપવો પડે. આ આખા દેશ માટે ગર્વની ક્ષણ છે અને આપણે આ જીતની ઉજવણી કરવી જોઈએ." ગંભીરે વધુમાં ઉમેર્યું કે આવા નિવેદનો માત્ર ખેલાડીઓની સખત મહેનત અને સિદ્ધિને ઓછી કરીને બતાવે છે.
હરભજનસિંહે પણ નારાજગી દર્શાવી
ગંભીરે ખેલાડીઓના સંઘર્ષની યાદ અપાવતા કહ્યું કે, ટુર્નામેન્ટ દરમિયાન ટીમે ઘણું દબાણ સહન કર્યું છે, ખાસ કરીને દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ટીમ માનસિક રીતે દબાણમાં હતી. આવા સમયે રાજકારણને રમત સાથે જોડવું દુર્ભાગ્યપૂર્ણ છે. ભારતીય ટીમને પોતાની જીતની ઉજવણી પોતાની રીતે કરવાનો પૂરો હક છે. પૂર્વ સ્પિનર હરભજન સિંહે (Harbhajan Singh) પણ કીર્તિ આઝાદના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી ટીમ ઈન્ડિયાનું સમર્થન કર્યું છે.
આ પણ વાંચો : Mission 2027: T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હવે ગંભીરની નજર ODI વર્લ્ડ કપ પર, જાણો શું છે માસ્ટર પ્લાન


