IND vs ENG 5th Test : ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા જો હારશે તો ગુનેગાર કોણ?
લંડનના ઓવલ મેદાન પર ચાલી રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચમાં ભારત હારની કગાર પર છે, જ્યાં ઈંગ્લેન્ડને જીત માટે ફક્ત 35 રનની જરૂર છે. ભારતે ભલે 374 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હોય, પરંતુ ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ તેનો દબાણ વગર પીછો કર્યો છે. આ સ્થિતિ માટે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની નિષ્ફળ બોલિંગ મુખ્ય કારણ માનવામાં આવી રહી છે, કારણ કે તેણે વધુ રન આપી ભારતીય ટીમના વિજયની શક્યતાઓ ઘટાડી દીધી છે.
Advertisement
- ઓવલ ટેસ્ટ પર ભારત હારની સ્થિતિ પર!
- મેચ અને શ્રેણી ગુમાવવાનો ખતરો! જવાબદાર કોણ?
- ઓવલમાં ટીમ ઇન્ડિયા માટે ચમત્કાર જરૂરી
IND vs ENG 5th Test : લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ હવે ટીમ ઈન્ડિયા (Team India) માટે અત્યંત નાજુક દિશામાં છે. ઈંગ્લેન્ડ જીતથી માત્ર 35 રન દૂર છે અને ભારતે હજુ 3 વિકેટ ઝડપી લેવાની છે. ભારતે ઈંગ્લેન્ડ સામે 374 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જેને લીધે ભારતીય ટીમે સ્પષ્ટ લીડ મેળવી હતી, પરંતુ ઈંગ્લેન્ડની ટીમે (England Team) 76.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવી દીધા છે, જેને કારણે ભારત માટે વિજય હવે ચમત્કાર જેવી સ્થિતિ બની ગઈ છે.

