IPL 2026 પહેલા શાહરુખ ખાન મુશ્કેલીમાં! બાંગ્લાદેશી ખેલાડીની ખરીદી પર સંતો અને નેતાઓ લાલઘૂમ, બહિષ્કારની ચીમકી
- Shah Rukh Khan controversy
- બાંગ્લાદેશી ક્રિકેટર ખરીદવાને લઈને શાહરુખ વિવાદમાં
- બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
- બાંગ્લાદેશી ક્રિકેટરે હિંદુઓના રક્ષણ માટે કહેવુ જોઈએ
- IPLમાં રમવુ કે ન રમવુ તે નિર્ણય તો BCCI કરશે
Shah Rukh Khan controversy : માર્ચ મહિનામાં રમાનારી આઈપીએલ (IPL) ની સીઝન શરૂ થાય તે પહેલા જ મેદાનની બહાર વિવાદોની પીચ ગરમાઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના માલિક અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન (Shah Rukh Khan) હાલમાં ગંભીર વિવાદોના ઘેરામાં આવી ગયા છે. આ વિવાદનું મુખ્ય કારણ છે KKR દ્વારા હરાજીમાં બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને 9 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદવાનો નિર્ણય છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા કથિત અત્યાચારોના વિરોધમાં હવે દેશભરના પ્રખર સંતો અને નેતાઓએ શાહરુખ ખાન વિરુદ્ધ મોરચો માંડ્યો છે. શું કહી રહ્યા છે આવો જાણીએ.
દેવકીનંદન ઠાકુરની આકરી ટીકા
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે જાણીતા કથાવાચક દેવકીનંદન ઠાકુરે શાહરુખ ખાનના આ નિર્ણયની આકરી આલોચના કરી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, જ્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, ત્યારે બાંગ્લાદેશી ખેલાડી પર આટલી મોટી રકમ ખર્ચવી કેટલી યોગ્ય છે? તેમણે ચેતવણી આપતા કહ્યું કે, "જો મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કરવામાં નહીં આવે, તો લોકો KKRનો સંપૂર્ણ બહિષ્કાર કરશે." તેમણે વધુમાં ઉમેર્યું કે શાહરુખ ખાનને ભારત અને હિંદુઓ કરતા પાકિસ્તાન અને બાંગ્લાદેશીઓ પર વધુ પ્રેમ હોય તેવું લાગી રહ્યું છે.
View this post on Instagram
સંત સમાજ Shah Rukh Khan થી નારાજ
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અને જગદગુરુ રામભદ્રાચાર્યએ પણ આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "બાંગ્લાદેશી ખેલાડીઓએ માનવતાના ધોરણે ત્યાં પીડાતા હિંદુઓના રક્ષણ માટે અવાજ ઉઠાવવો જોઈએ. IPLમાં રમવાનો નિર્ણય ભલે BCCI લે, પણ ખેલાડીઓની નૈતિક જવાબદારી પણ બને છે." બીજી તરફ, સ્વામી રામભદ્રાચાર્યએ તો શાહરુખ ખાનના પાત્ર પર સવાલો ઉઠાવતા તેમના કાર્યોને દેશહિત વિરુદ્ધ ગણાવ્યા હતા. અયોધ્યા હનુમાનગઢીના સંત દેવેશાચાર્ય મહારાજે પણ આકરો પ્રશ્ન કર્યો કે, "શું શાહરુખ ખાને ક્યારેય બાંગ્લાદેશી હિંદુઓ માટે એક ટ્વિટ પણ કર્યું છે? જે દેશમાં હિંદુઓને સળગાવી દેવામાં આવતા હોય ત્યાંના ખેલાડીઓને ભારતના પૈસા શા માટે આપવા?"
રાજકીય અને સામાજિક ગરમાવો
આ વિવાદ માત્ર ધાર્મિક નેતાઓ પૂરતો સીમિત રહ્યો નથી. ભાજપના નેતા સંગીત સોમ અને સામાજિક કાર્યકર્તા ચંદન શર્માએ પણ આ ખરીદીને દેશ સાથે દગો ગણાવી છે. તેમનો તર્ક છે કે જે 9.20 કરોડ રૂપિયા ખેલાડીને આપવામાં આવશે, તેનો ઉપયોગ આડકતરી રીતે ક્યાંક ખોટી જગ્યાએ તો નહીં થાય ને? બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ 'Boycott KKR' જેવા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યા છે.
શું ક્રિકેટ અને રાજનીતિ અલગ છે?
જોકે, દરેક સિક્કાની બે બાજુ હોય છે. કેટલાક રમત પ્રેમીઓ અને વિશ્લેષકોનું માનવું છે કે રમતગમતને ધર્મ કે રાજનીતિ સાથે ન જોડવી જોઈએ. ખેલાડીની પસંદગી તેની ક્ષમતાના આધારે થાય છે અને તેમાં ટીમ માલિકનો વ્યવસાયિક અભિગમ હોય છે.
આ પણ વાંચો : સારા તેડુંલકર બાદ હવે અર્જુન તેડુંલકરે પણ પિતાને..! પ્રતિષ્ઠા પર ઉઠ્યા સવાલ


