ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

MCA નો ઐતિહાસિક નિર્ણય! વાનખેડે સ્ટેડિયમમાં Dilip Vengsarkar ની પ્રતિમા સ્થાપિત થશે

Dilip Vengsarkar : મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા 8 ઓક્ટોબરના રોજ એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેણે મુંબઈ અને ભારતીય ક્રિકેટના એક દિગ્ગજ ખેલાડીને કાયમી સન્માન અર્પણ કર્યું છે.
08:09 AM Oct 09, 2025 IST | Hardik Shah
Dilip Vengsarkar : મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા 8 ઓક્ટોબરના રોજ એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેણે મુંબઈ અને ભારતીય ક્રિકેટના એક દિગ્ગજ ખેલાડીને કાયમી સન્માન અર્પણ કર્યું છે.
Dilip_Vengsarkar_statue_to_be_installed_at_Wankhede_Stadium_Gujarat_First

Dilip Vengsarkar : મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા 8 ઓક્ટોબરના રોજ એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેણે મુંબઈ અને ભારતીય ક્રિકેટના એક દિગ્ગજ ખેલાડીને કાયમી સન્માન અર્પણ કર્યું છે. MCA એ જાહેરાત કરી છે કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ભારતીય ક્રિકેટના સિલેક્શન કમિટીના પૂર્વ અધ્યક્ષ દિલીપ વેંગસરકર (Dilip Vengsarkar) ની આદિકદની (પ્રતિમા) સ્ટેચ્યુ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સ્થાપિત કરવામાં આવશે.

વાનખેડે ખાતે 'કર્નલ'નું સન્માન

દિલીપ વેંગસરકર, જેમને ક્રિકેટ જગતમાં પ્રેમથી 'કર્નલ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની પ્રતિમા વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત થવાથી, તેઓ સચિન તેંડુલકર અને અન્ય મહાન મુંબઈના ખેલાડીઓની યાદીમાં જોડાશે. MCA ના આ સન્માન પાછળનું મુખ્ય કારણ ભારતીય ક્રિકેટમાં વેંગસરકરનું ઉત્કૃષ્ટ યોગદાન છે. જણાવી દઇએ કે, આ નિર્ણય MCA ની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં સર્વાનુમતે લેવામાં આવ્યો હતો, જે મુંબઈના ક્રિકેટ ઈતિહાસમાં વેંગસરકરના અપ્રતિમ યોગદાનને દર્શાવે છે.

Dilip Vengsarkar ની કારકિર્દીના મુખ્ય આંકડાઓ:

આ નિર્ણયને સમર્થન આપતા MCA ના પ્રમુખ અજિંક્ય નાઈકે જણાવ્યું હતું કે, "વાનખેડે ખાતે દિલીપ વેંગસરકર (Dilip Vengsarkar) ની પ્રતિમા સ્થાપિત કરવી એ મુંબઈના મહાન ક્રિકેટરોમાંના એકનું સન્માન કરવાનો એક યોગ્ય માર્ગ છે." વેંગસરકરને જૂન 2025 માં ભૂતપૂર્વ ભારતીય મહિલા કેપ્ટન ડાયના એડુલજી સાથે MCAના ક્રિકેટ સલાહકાર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

MCA એ ક્લબ સબસિડીમાં વધારો કર્યો

MCA એ આ ઐતિહાસિક નિર્ણયની સાથે સાથે પોતાની સામાજિક જવાબદારી નિભાવતા એક મહત્ત્વની જાહેરાત પણ કરી હતી. મહારાષ્ટ્રના ખેડૂતોના સમર્થનમાં, MCA એ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ₹1 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, મુંબઈના ખેલાડીઓએ પણ આ શુભ અભિયાનમાં જોડાવાનો નિર્ણય કર્યો છે અને તેઓ સામૂહિક રીતે ₹25 લાખનું યોગદાન આપશે. આમ, MCA અને ખેલાડીઓ દ્વારા કુલ ₹1.25 કરોડનું મહત્ત્વપૂર્ણ દાન ખેડૂતોની મદદ માટે આપવામાં આવશે. MCA પ્રમુખ અજિંક્ય નાઈકે કહ્યું કે, "ખેડૂતો અને ફિલ્ડ ક્લબને અમારો ટેકો MCA ના સમુદાય સાથેના ઊંડા જોડાણને પ્રતિબિંબિત કરે છે."

આ પણ વાંચો :  મેદાનમાં જ જોવા મળ્યા ફિલ્મી દ્રશ્યો! Prithvi Shaw એ બેટ લઇ આ ખેલાડીને દોડાવ્યો, જુઓ Video

Tags :
Ajinkya Naik MCA PresidentCricket advisory committee MCADilip VengsarkarDilip Vengsarkar achievementsDilip Vengsarkar career recordsDilip Vengsarkar statue Wankhede StadiumGujarat FirstIndian cricket legends honourMCA announces Rs 1 crore donationMCA Apex Council meetingMCA club subsidy increaseMCA CSR initiativeMCA decision 2025MCA farmers donationMumbai Cricket Association newsMumbai cricket updates 2025Wankhede Stadium tribute
Next Article