Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ravindra Jadeja ODI Career : શું જાડેજાની વન-ડે કરિયર પૂરી? પૂર્વ ક્રિકેટરનો દાવો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે ખતરાની ઘંટડી વાગી ગઈ છે. ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ તેમના પ્રદર્શનની આકરી ટીકા થઈ રહી છે. એક તરફ અક્ષર પટેલનું જોરદાર ફોર્મ અને બીજી તરફ જાડેજાની નિષ્ફળતા. આ માહોલ વચ્ચે એક પૂર્વ ક્રિકેટરે તો એમ પણ કહી દીધું છે કે કદાચ આપણે જાડેજાને છેલ્લીવાર રમતા જોઈ લીધા છે. શું ખરેખર જાડેજાની કરિયરનો અંત આવી ગયો?
ravindra jadeja odi career   શું જાડેજાની વન ડે કરિયર પૂરી  પૂર્વ ક્રિકેટરનો દાવો
Advertisement
  • ન્યૂઝીલેન્ડ સામે સીરીઝ હારતા જ રવિન્દ્ર જાડેજાના પ્રદર્શન પર ઉઠ્યા સવાલ
  • છેલ્લી 13 મેચમાં માત્ર 12 વિકેટ અને સામાન્ય બેટિંગથી ફેન્સ નારાજ
  • અક્ષર પટેલના શાનદાર ફોર્મને કારણે જાડેજાનું સ્થાન જોખમમાં
  • પૂર્વ ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીનો દાવો: 'કદાચ જાડેજાએ છેલ્લી મેચ રમી લીધી'
  • જૂનમાં ઈંગ્લેન્ડ સામેની સીરીઝ પહેલા ટીમમાં મોટા ફેરફારની શક્યતા

Ravindra Jadeja ODI Career : ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં 2-1 થી મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા ફેરફારોની માંગ ઉઠી છે. ચાહકો અને ક્રિકેટ વિવેચકો હવે અમુક વરિષ્ઠ ખેલાડીઓના પ્રદર્શન સામે સવાલો ઉઠાવી રહ્યા છે. આ લિસ્ટમાં સૌથી મોટું નામ અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું છે. છેલ્લા ઘણા સમયથી વન-ડે ફોર્મેટમાં જાડેજાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, જેના કારણે ટીમમાં તેમના સ્થાન પર હવે જોખમ તોળાઈ રહ્યું છે. એક પૂર્વ ક્રિકેટરે તો ત્યાં સુધી કહી દીધું છે કે કદાચ જાડેજા ભારત માટે છેલ્લી મેચ રમી ચૂક્યા છે.

Ravindra Jadeja ODI Career : સતત કથળતું ફોર્મ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર તરીકે ઓળખાતા રવિન્દ્ર જાડેજાની વન-ડે ટીમમાં વાપસી તો થઈ, પરંતુ તેઓ આ તકનો લાભ ઉઠાવી શક્યા નથી. ન્યૂઝીલેન્ડ સામેની તમામ મેચોમાં તેમનું પ્રદર્શન ફિક્કું રહ્યું હતું. આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2024 થી અત્યાર સુધી રવિન્દ્ર જાડેજા 13 વન-ડે મેચ રમ્યા છે. જેમાં તેમણે માત્ર 34.25 ની સરેરાશથી 137 રન બનાવ્યા છે અને બોલિંગમાં 45.16 ની ઊંચી સરેરાશથી માત્ર 12 વિકેટ ઝડપી છે. ઓલરાઉન્ડર તરીકે આ આંકડા ચિંતાજનક છે.

Advertisement

Advertisement

Ravindra Jadeja ODI Career : અક્ષર પટેલ બની રહ્યા છે મજબૂત વિકલ્પ

જાડેજાના ખરાબ ફોર્મની સામે અક્ષર પટેલનું પ્રદર્શન સતત સુધરી રહ્યું છે. અક્ષર પટેલ બોલ અને બેટ બંનેથી ટીમ માટે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. અક્ષરના આંકડા જાડેજા કરતા ઘણા સારા હોવાથી હવે પસંદગીકારોની નજર તેમના પર મંડાયેલી છે. ટીમ મેનેજમેન્ટ જ્યારે જૂન મહિનામાં આગામી વન-ડે શ્રેણી માટે ટીમની પસંદગી કરશે, ત્યારે જાડેજાને ફરી તક મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.

શ્રીવત્સ ગોસ્વામીનું ચોંકાવનારું નિવેદન

વિરાટ કોહલી સાથે 2008 નો અંડર-19 વર્લ્ડ કપ રમનાર પૂર્વ વિકેટકીપર શ્રીવત્સ ગોસ્વામીએ જાડેજાના ભવિષ્યને લઈને મોટી વાત કહી છે. તેમણે સોશિયલ મીડિયા પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું, "રવિન્દ્ર જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી ભારત માટે એક મજબૂત મેચ વિનર રહ્યો છે, પરંતુ શું તમને લાગે છે કે આ ભારતની ધરતી પર તેની છેલ્લી વન-ડે મેચ હતી? આપણે તેના જવાની રાહ જોવાને બદલે તેના યોગદાનની ઉજવણી કરવી જોઈએ, કારણ કે ભારત હવે આગામી વન-ડે જૂન મહિનામાં ઈંગ્લેન્ડ સામે રમવાનું છે." ગોસ્વામીનો ઈશારો સ્પષ્ટ છે કે ટીમમાં બદલાવનો પવન ફૂંકાઈ રહ્યો છે.

આ પણ વાંચો : Newzeland Won Agianst India : ન્યૂઝીલેન્ડે ભારતને ઘરઆંગણે હરાવીને સીરીઝ જીતી, 41 રને આપી મ્હાત

Tags :
Advertisement

.

×