ઋષભ પંતે લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું
Rishabh Pant resignation : IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) માટે અત્યંત નિરાશાજનક રહ્યા બાદ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) એ પોતાની કેપ્ટનશીપ પદેથી રાજીનામું ધરી દીધું છે. આ જાહેરાત બાદ ક્રિકેટના કોરિડોરમાં અનેક અટકળો વહેતી થઈ છે.
Rishabh Pant resignation : કેપ્ટનશીપ પર પૂર્ણવિરામ
IPL 2026 ની સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું. ટીમે ટેબલ પર 10મું સ્થાન મેળવ્યું હતું, જે મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય હતો. ઋષભ પંતનું વ્યક્તિગત ફોર્મ પણ આ સીઝનમાં સાથ ન આપતા તેઓ સતત દબાણ હેઠળ હતા. લખનૌ ફ્રેન્ચાઈઝી (LSG Management) એ એક સત્તાવાર નિવેદન દ્વારા પંતના રાજીનામાની પુષ્ટિ કરી છે.
Official announcement. pic.twitter.com/7WeOwpkDr6
— Lucknow Super Giants (@LucknowIPL) May 29, 2026
નિર્ણય પાછળનું રહસ્ય
સીઝનની વચ્ચેથી જ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે પંતને કેપ્ટનશીપમાંથી હટાવવામાં આવી શકે છે. હવે સવાલ એ છે કે શું પંતે નૈતિક જવાબદારી સ્વીકારીને સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે, કે પછી ટીમના માલિકો અને મેનેજમેન્ટ દ્વારા તેમની પર રાજીનામું આપવા માટેનું દબાણ હતું? આ પ્રશ્ન હાલમાં ક્રિકેટ પ્રેમીઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો: IPL 2026 Final : RCB ટીમની ફાઇનલમાં એન્ટ્રીથી ફ્લાઇટ-હોટલના ભાવમાં ઉછાળો


