ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rohit Sharma એ તોડ્યું મૌન, સંન્યાસ વિશે ખુલાસો કરીને ચાહકોના દિલ જીતી લીધા

Rohit Sharma એ કરી સંન્યાસની અટકળોને ફગાવી રોહિત શર્માના નિવેદનથી ચાહકોમાં ખૂશી ફોર્મમાં પાછા ફરવા પર વધુ ધ્યાન - રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તેનો નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો...
09:51 AM Jan 04, 2025 IST | Dhruv Parmar
Rohit Sharma એ કરી સંન્યાસની અટકળોને ફગાવી રોહિત શર્માના નિવેદનથી ચાહકોમાં ખૂશી ફોર્મમાં પાછા ફરવા પર વધુ ધ્યાન - રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તેનો નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો...

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તેનો નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી. રોહિત શર્મા (Rohit Sharma)એ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી તમામ અટકળો અને અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે અને ભારતીય ક્રિકેટના ચાહકોને મોટી ખુશખબર આપી છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ભારતના નિયમિત કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડ્યું છે. રોહિત શર્મા (Rohit Sharma)ના સ્થાને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને સિડની ટેસ્ટમાં ભારતીય ટેસ્ટ ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. આ ઘટના પછી, ઘણા દિગ્ગજોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે રોહિત શર્મા (Rohit Sharma) ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરશે.

રોહિત શર્માએ ભારતના કરોડો ચાહકોને ખૂબ જ ખુશી આપી...

ટીમ ઈન્ડિયાના ODI અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ રવિવારે સિડની ટેસ્ટના બીજા દિવસે લંચ બ્રેક દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. રોહિત શર્માએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીત દરમિયાન કહ્યું, 'હું સંન્યાસ લઈ રહ્યો નથી, હું માત્ર ટીમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બહાર બેઠો છું. મેં પસંદગીકારો અને કોચને કહ્યું કે મને મારા બેટમાંથી રન નથી મળી રહ્યા, તેથી મેં આ મેચમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. બહાર લેપટોપ, પેન અને કાગળ લઈને બેઠેલા લોકો નક્કી કરી શકતા નથી કે હું ક્યારે નિવૃત્ત થઈ રહ્યો છું. મને ખબર છે કે શું નિર્ણય લેવાનો છે. તેથી તેઓ મારી નિવૃત્તિ વિશે નિર્ણય લઈ શકતા નથી.

રોહિતે નિવૃત્તિ લેવાની ના પાડી...

રોહિત શર્માએ આ નિવેદન દ્વારા સંન્યાસ લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે, સિડની ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ અને બેટિંગમાં ખરાબ પ્રદર્શનના કારણે રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડ્યું હતું. સિડનીમાં રોહિત શર્માની જગ્યાએ જસપ્રિત બુમરાહ ટોસ માટે મેદાનમાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વર્તમાન બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન રોહિત શર્માએ 5 ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર 31 રન જ બનાવ્યા છે. રોહિત શર્માએ આગળ કહ્યું, 'હું ક્યાંય જતો નથી. મારો આ રમત છોડવાનો ઈરાદો નથી. હું માત્ર ફોર્મમાં ન હોવાને કારણે બહાર છું. તમને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે. હું સ્કોર કરવાનું શરૂ કરી શકું છું, અથવા હું ન પણ કરી શકું, પરંતુ મને વિશ્વાસ છે કે હું બાઉન્સ બેક કરી શકીશ.

આ પણ વાંચો : Border-Gavaskar Trophy : સિડનીમાં ભારતીય ફાસ્ટ બોલરોનો કહેર! ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત

'આઉટ ઓફ ફોર્મ ખેલાડીઓ ટીમને આગળ લઈ જઈ શકતા નથી'

રોહિત શર્માએ કહ્યું, 'અમને ફોર્મમાં રહેલા ખેલાડીની જરૂર છે. અમારો બેટિંગ ઓર્ડર અત્યારે ફોર્મમાં નથી. તેથી આઉટ ઓફ ફોર્મ ખેલાડીઓ આ સમયે ટીમને આગળ લઈ જઈ શકતા નથી. તેથી મારા મગજમાં એક વાત હતી. મને લાગે છે કે મેં આ વાત કોચ અને સિલેક્ટરને કહી હતી અને તેઓએ મારા નિર્ણયનું સમર્થન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, સિડની ટેસ્ટમાં રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, આ મેચની પ્રથમ ઇનિંગમાં શુભમન ગિલ ફ્લોપ સાબિત થયો હતો અને 20 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્માએ આગળ કહ્યું, 'મેં ઘણું ક્રિકેટ જોયું છે, જીવન દર મિનિટે, દરેક સેકન્ડે અને દરરોજ બદલાય છે. હું માનું છું કે, વસ્તુઓ બદલાશે પરંતુ તે જ સમયે મારે વાસ્તવિકતામાં જીવવું પડશે. કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા લોકો કે હાથમાં લેપટોપ લઈને લખતા લોકો નક્કી નહીં કરે કે મારું ભવિષ્ય શું હશે.

આ પણ વાંચો : Sourav Ganguly ની પુત્રીની કારનો અકસ્માત, બસે ટક્કર મારી, સના આબાદ બચાવ

કેપ્ટન રોહિત ટીકાકારો પર ગુસ્સે થયા...

રોહિત શર્માએ કહ્યું, 'મેં એટલો લાંબો સમય ક્રિકેટ રમ્યો છે કે હું ક્યારે રમું છું, કેવી રીતે રમું છું, ક્યારે કપ્તાન છું કે ક્યારે પદ છોડું છું તે કોઈ નક્કી કરશે નહીં. હું એક સમજદાર વ્યક્તિ છું, એક પરિપક્વ વ્યક્તિ છું, 2 બાળકોનો પિતા છું, મારી પાસે થોડું મગજ છે અને હું જાણું છું કે મારે મારા જીવનમાંથી શું જોઈએ છે.

આ પણ વાંચો : Shreyas Iyer: શ્રેયસ ઐયરની વિસ્ફોટક સદી, મુંબઈને એકતરફી જીત અપાવી

Tags :
CricketDhruv ParmarGuajrati NewsGUJARAT FIRST NEWSIndia vs AustraliaIndia vs Australia 5th Testrohit sharmaRohit Sharma breaks silence on retirementRohit Sharma statementRohit Sharma statement in Sydney TestSports
Next Article