Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MS Dhoni ની આ છેલ્લી IPL! જાણો કોણે કર્યો આ દાવો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલાં જ ક્રિકેટ જગતમાં ધૂમ મચી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે સંજૂ સેમસન, રવિન્દ્ર જાડેજા અને સેમ કરનને લઈને સંભવિત મેગા-ટ્રેડની ચર્ચા ગરમ છે. આ સાથે જ એવી અટકળો તેજ બની છે કે IPL 2026 મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી સિઝન બની શકે છે. CSK હવે ધોની બાદના યુગ માટે નવી કમાન શોધી રહી છે – અને તે સંજૂ સેમસનમાં જોવા મળી રહી છે.
ms dhoni ની આ છેલ્લી ipl  જાણો કોણે કર્યો આ દાવો
Advertisement
  • Dhoni Retirement News
  • ધોનીનો અંતિમ IPL? CSKમાં સંજૂ સેમસનની એન્ટ્રીની ચર્ચા
  • IPL 2026 પહેલાં મોટો ટ્રેડ! ધોની બાદ CSKની કમાન સંજૂ સેમસન પાસે?
  • CSKની મોટી યોજના: ધોની પછી સંજૂ સેમસન બનશે કેપ્ટન?

Dhoni Retirement News : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે 15 ડિસેમ્બરે યોજાનારી મીની ઓક્શન પહેલા એક મોટા ટ્રેડની ચર્ચાએ ક્રિકેટ જગતમાં ગરમાવો લાવી દીધો છે. 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એક મેગા-ટ્રેડ ડીલ થવાની શક્યતા છે, જેનું કેન્દ્રબિંદુ RRના કેપ્ટન અને સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજૂ સેમસન છે. જો આ ડીલ સફળ થાય, તો સંજૂ સેમસન CSKમાં સામેલ થશે, જેના બદલામાં CSKના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને વિદેશી સ્ટાર સેમ કરન રાજસ્થાન રોયલ્સમાં જઈ શકે છે.

Dhoni Retirement

Advertisement

CSKની લાંબા ગાળાની કેપ્ટનશીપ યોજના

આ સંભવિત ટ્રેડ ડીલ પાછળનું મુખ્ય કારણ CSKની ભવિષ્યની નેતૃત્વની જરૂરિયાત છે. એવું માનવામાં આવી રહ્યું છે કે IPL 2026 એ મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી સિઝન હશે. ધોની (Dhoni) ના વિદાય બાદ ટીમની કમાન કોણ સંભાળશે, તે મોટો સવાલ છે. CSK મેનેજમેન્ટ સંજૂ સેમસનને માત્ર એક ટોપ-ક્લાસ વિકેટકીપર-બેટ્સમેન તરીકે જ નહીં, પરંતુ ધોની (Dhoni) ના ઉત્તરાધિકારી અને આગામી કેપ્ટન તરીકે જોઈ રહી છે. સંજૂ સેમસન વિકેટકીપરની બેવડી ભૂમિકા પણ અદા કરી શકશે. ટીમનું ધ્યાન હવે આગામી 5-6 વર્ષ માટે એક મજબૂત અને સ્થિર ટીમ તૈયાર કરવા પર છે, જેના માટે એક યુવા અને અનુભવી કેપ્ટનની જરૂર છે, જે CSK ને સંજૂમાં દેખાય છે.

Advertisement

Dhoni

મોહમ્મદ કૈફે Dhoni ને લઇને આપ્યું મોટું નિવેદન

પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પોતાની યુટ્યુબ ચેનલ પર આ ટ્રેડની સંભાવનાઓ વિશે ગહન વિશ્લેષણ કર્યું છે. કૈફના મતે, જો આ ટ્રેડ થાય છે તો આ લગભગ નિશ્ચિત છે કે આ ધોનીની છેલ્લી IPL સિઝન હશે. કૈફે એક મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે એવી પૂરી શક્યતા છે કે ધોની સિઝનની વચ્ચે જ સંન્યાસ લઈને સંજૂને ટીમનો હવાલો સોંપી શકે છે. કૈફે સમજાવ્યું કે CSK માટે જાડેજા (જે 2008થી IPL રમી રહ્યા છે અને CSKના મેચ વિજેતા રહ્યા છે) ને છોડવો એ એક મોટો નિર્ણય છે. પરંતુ CSK ને ભવિષ્યના કેપ્ટનની તાત્કાલિક જરૂરિયાત છે, જેના કારણે જાડેજા જેવા અનુભવી ખેલાડીને પણ ટ્રેડ કરવા તૈયાર છે. આ નિર્ણય સૂચવે છે કે CSK સંજૂને માત્ર ખેલાડી નહીં, પણ કેપ્ટન તરીકે જ લાવી રહી છે. કૈફના આ વિશ્લેષણનો અર્થ એ પણ થાય છે કે જો સંજૂ ટીમમાં આવે છે, તો વર્તમાન કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પાસેથી નેતૃત્વની જવાબદારી પાછી ખેંચી લેવામાં આવી શકે છે.

Mohammad Kaif made a big statement about Dhoni

જાડેજા અને કેપ્ટનશીપનો ભૂતકાળ

મોહમ્મદ કૈફે રવિન્દ્ર જાડેજાના ભૂતકાળના કેપ્ટનશીપના અનુભવનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જાડેજાને CSK દ્વારા કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે નેતૃત્વનું દબાણ સંભાળી શક્યા નહોતા અને તેમણે સિઝનની મધ્યમાં જ કેપ્ટનશીપ છોડી દીધી હતી. કૈફના મતે, "બધા ખેલાડીઓ IPLમાં કેપ્ટનશીપ કરી શકતા નથી." લાંબા ગાળાની યોજનાને ધ્યાનમાં રાખીને, ધોની એવા ખેલાડીને ટીમમાં લાવવા માંગે છે જે કેપ્ટનશીપ સંભાળી શકે, તેથી જ જાડેજાને બદલે સંજૂ સેમસન પર પસંદગી કરરવામાં આવી છે.

jadeja csk

ધોનીનું ચેન્નાઈ કનેક્શન

મહેન્દ્ર સિંહ ધોનીએ અગાઉ IPL 2021માં કહ્યું હતું કે તે તેમની છેલ્લી IPL મેચ ચેન્નાઈમાં, પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમવા માંગે છે. ધોનીએ ત્યારથી 2022, 2023, 2024 અને 2025ની સિઝનમાં ભાગ લીધો છે અને હવે તે આગામી સિઝન માટે તૈયારી કરી રહ્યા છે. જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા રવિન્દ્ર જાડેજા જેવા મેચ વિનર ખેલાડીને ટ્રેડ કરવાની સંભવિત તૈયારી એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે ટીમ હવે માત્ર ભાવનાત્મક નિર્ણય લેવાના બદલે વ્યવહારિક અને ભવિષ્યલક્ષી રણનીતિ પર કામ કરી રહી છે. ટીમ મેનેજમેન્ટ સમજે છે કે જાડેજા પણ હવે તેમની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે, અને ધોની પછીના યુગ માટે CSKને લાંબા ગાળા સુધી નેતૃત્વ આપી શકે તેવા યુવા પ્રતિભાશાળી ખેલાડીની (જેમ કે સંજૂ સેમસન) જરૂર છે, જેથી ટીમ આગામી 5-6 વર્ષ માટે તૈયાર થઈ શકે.

આ પણ વાંચો :   રવિન્દ્ર જાડેજા CSK છોડશે? ઇન્સ્ટાગ્રામ ગાયબ થતા અટકળો તેજ, સંજુ સેમસન માટે ટ્રેડની વાતચીત શરૂ

Tags :
Advertisement

.

×