Studio on Wheels:"પ્રાકૃતિક ખેતી જ બચાવશે માનવજાત" રાજ્યપાલ Acharya Devvrat એ સમજાવ્યું પ્રાકૃતિક ખેતીનું મહત્વ
- Studio on Wheels ની ટીમ બનાસકાંઠા (Banaskantha) ના અમીરગઢ (Amirgadh) પહોંચી
- Studio on Wheels માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) સાથે એક્સક્લુઝિવ સંવાદ
- રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી, શિક્ષણ પ્રથા અને વિકસિત ભારતના વિઝન પર પોતાના ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા
- ચર્ચા દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) એ કરી મોટી જાહેરાત
Studio on Wheels: સાદગી, સંયમ અને સેવા જેમના જીવનનો મંત્ર છે એવા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) સાથે 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) એક અત્યંત નિખાલસ અને પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels)ની ટીમ જ્યારે બનાસકાંઠા (Banaskantha) ના અમીરગઢ (Amirgadh) પહોંચી, ત્યારે રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી, શિક્ષણ પ્રથા અને વિકસિત ભારતના વિઝન પર પોતાના ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા હતા.
Studio on Wheels માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે એક્સક્લુઝિવ સંવાદ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જીવન અને વિચારધારાનું મુખ્ય તત્વ છે "સાદગી, સંયમ અને સેવા". સત્તાની ઊંચાઈએ બેઠા હોવા છતાં તેઓ ભૂમિ સાથે જોડાયેલા રહ્યા છે. તેમના શબ્દોમાં શાંતિ છે અને વિચારોમાં ક્રાંતિ. તેઓ માને છે કે 'પદ' જવાબદારી છે અને 'પથ' રાષ્ટ્રહિત સર્વોપરી છે.ગુજરાત ફર્સ્ટ ચેનલના હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ સાથે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે સ્ટુડિયો ઓન વ્હીલ્સ કાર્યક્રમ હેઠળ આ વિશેષ સંવાદ થયો. આ સંવાદમાં રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી, ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ, રાસાયણિક ખેતીના જોખમો, જળ સંકટ, સ્વાસ્થ્ય, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વિઝન પર નિખાલસ ચર્ચા કરી.
પ્રાકૃતિક ખેતી vs રાસાયણિક ખેતી
તેમણે 'પ્રાકૃતિક ખેતી' (Natural Farming) અને 'જૈવિક ખેતી' (Organic Farming) વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતા કહ્યું કે, જૈવિક ખેતીમાં ઉત્પાદન ઓછું થઈ શકે છે, પરંતુ ગાય આધારિત 'પ્રાકૃતિક ખેતી'માં ઉત્પાદન ઘટતું નથી. રાજ્યપાલએ ચેતવણી આપી કે રાસાયણિક ખેતીએ ધરતીને પથ્થર બનાવી દીધી છે. યુરિયા અને DAPમાં મીઠાની માત્રા વધુ હોવાથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, ભૂમિ વર્ષાજળ પીતી નથી અને પાણી ભરાઈ જાય છે. તેઓ કહે છે કે આગામી યુદ્ધ પાણી માટે થશે. પ્રાકૃતિક ખેતી દેશી ગાય પર આધારિત છે, જેમાં ગોબર અને ગૌમૂત્રથી જમીન ફરી યુવા બને છે. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઓછું નથી થતું, પરંતુ તે શુદ્ધ ખેતી છે. આનાથી સ્વાસ્થ્ય બચે, બિમારીઓમાંથી મુક્તિ મળે અને પર્યાવરણ સુરક્ષિત રહે.
સાદગી, સંયમ અને સેવા જેમના જીવનનો મંત્ર છે, એવા ગુજરાતના રાજ્યપાલ Shri Acharya Devvratji સાથે Gujarat First ના Channel Head Dr. Vivek Kumar Bhatt એ ખાસ સંવાદ કર્યો છે.
Studio On Wheels ની ટીમ પહોંચી છે Banaskantha ના Amirgadh ખાતે, જ્યાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી, શિક્ષણ… pic.twitter.com/LeHc3pM3fq— Gujarat First (@GujaratFirst) January 22, 2026
"ગુજરાતમાં 8 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી"
રાજ્યપાલ પોતે ગુરુકુળ કુરુક્ષેત્રમાં 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને તેના લાભો જીવંત ઉદાહરણ છે. ત્યારે કુરુક્ષેત્ર ગુરુકુળમાં પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીથી બંજર જમીન પણ ફરી 'યુવા' અને ફળદ્રુપ બની જાય છે. ગુજરાતમાં 8 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અને અનેકે મોડલ ફાર્મ બનાવ્યા છે તે આનંદની વાત છે.
કેમિકલ યુક્ત ખોરાક અને સ્વાસ્થ્ય પર જોખમ
રાસાયણિક ખેતીથી કેન્સર જેવી બીમારીઓ વધી છે. વિદેશી કૂડ (ખોરાક) ખાતા લોકો આરોગી રહ્યા છે, પરંતુ અમારા દેશમાં આરોગ્યનું સ્તર ઘટ્યું છે. પ્રાકૃતિક ખેતીથી નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહેશે અને બિમારીઓમાંથી મુક્તિ મળશે.
ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ અને ભારતીય ઇતિહાસ
રાજ્યપાલએ ગુરુકુળ પ્રથાને શિક્ષણ માટે અતિ સુંદર ગણાવી. અંગ્રેજોએ શાસન માટે નવી શિક્ષણ નીતિ લાગુ કરી અને દેશના ઇતિહાસને બગાડ્યો. શિક્ષણ ઉન્નતિ અને પતનનો આધાર બને છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું વિઝન અને આત્મનિર્ભર ભારત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન વિશે વાત કરતા આચાર્ય દેવવ્રતએ પ્રધાનમંત્રીજીને દેશ હિતનું કામ કરનાર અને રાષ્ટ્રના કલ્યાણનું વિચારનાર ગણાવ્યા. તેઓ કહે છે કે પ્રધાનમંત્રીજીની પ્રેરણા અને વિઝનથી ચાલીએ છીએ. સ્વદેશી અને આત્મનિર્ભર ભારત પર ભાર મૂકતા તેઓએ જણાવ્યું કે દેશ હિતનું કામ થાય તે સદભાગ્યની વાત છે. 6 વર્ષથી રાજ્યપાલ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.
રાજ્યપાલએ કરી આ જાહેરાત
રાજ્યપાલએ જાહેરાત કરી હતી કે તેઓ આગામી સમયમાં ગુજરાતના પ્રત્યેક તાલુકાની મુલાકાત લેશે. તેઓ ગામડે-ગામડે જઈને 'સેવા સેતુ', સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવા કાર્યો દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરશે. તેમણે 'ગુજરાત ફર્સ્ટ'ની કામગીરીની પણ પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો: Studio On Wheels: વાવ-થરાદ બનશે શિક્ષણ અને ખેતીનું હબ, કલેક્ટર જે.એસ. પ્રજાપતિ સાથે ખાસ વાતચીત


