સાથે જ જાણો તેમના અદભુત સેવા કાર્યો વિશે: વિધવા બહેનોને સહાય, 'રોટલીયા હનુમાન' મંદિર થકી મુંગા પશુઓને ભોજન, અને અંગદાન કરનાર પરિવારને APMC તરફથી આપવામાં આવતી 5 લાખની સહાય જેવો ઐતિહાસિક નિર્ણય!
Studio On Wheels: પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ સાથેની ખાસ વાતચીત
પાટણ (Patan) જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્રે એક જાણીતું નામ એટલે સ્નેહલભાઈ પટેલ. ‘ગુજરાત ફર્સ્ટ’ના (Gujarat First) ખાસ કાર્યક્રમ ‘સ્ટુડિયો ઓન વીલ્સ’ (Studio on Wheels) માં તેમણે પોતાની જીવન સફર, રાજકીય કારકિર્દી (Political Career) અને અનોખી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે હૃદયસ્પર્શી વાતો શેર કરી છે.
Studio On Wheels: સેવાની શરૂઆત: કારગિલ યુદ્ધ અને યુવાકાળ
સ્નેહલભાઈ જણાવે છે કે તેમની સેવાની સફર વર્ષ 1999-2000 દરમિયાન કારગિલ યુદ્ધ (Kargil War) વખતે શરૂ થઈ હતી. તે સમયે શહીદોના પરિવારો માટે આર્થિક ફંડ (Financial Fund) ઉઘરાવવાનું કામ તેમણે ગામના યુવક મંડળ સાથે મળીને કર્યું હતું. આ નાનકડી શરૂઆત આજે એક વિશાળ વટવૃક્ષ બની ગઈ છે.
Studio On Wheels: વિધવા બહેનોના ‘દીકરા’ તરીકેની ઓળખ
પાટણ વિસ્તારની આશરે 800થી વધુ વિધવા બહેનો (Widow Sisters) માટે સ્નેહલભાઈ એક આધારસ્તંભ સમાન છે. તેઓ દર વર્ષે આ માતાતુલ્ય બહેનોને અંબાજી કે અન્ય તીર્થધામોના પ્રવાસે (Pilgrimage) લઈ જાય છે. સ્નેહલભાઈ કહે છે, "જ્યારે આ બહેનો મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપે છે, ત્યારે શરીરમાં એક અલગ પ્રકારનું કંપન (Vibration) અનુભવાય છે, જેની કોઈ કિંમત નથી."
Studio On Wheels: જગતના પ્રથમ 'રોટલિયા હનુમાન'
સેવા ક્ષેત્રે તેમણે એક અનોખો પ્રયોગ કર્યો છે, 'રોટલિયા હનુમાન'. આ મંદિર (Rotaliya Hanuman Temple)માં ભગવાનને કોઈ મીઠાઈ કે સિંદૂર નહીં, પણ માત્ર રોટલી કે રોટલાનો (Indian Bread) પ્રસાદ ચડે છે.
આ પણ વાંચો---- Studio on Wheels Mehsana: મહેસાણાના ડેરી ઉદ્યોગમાં 'ગુજરાત ડેરી'ની સફળતા, યુવા ઉદ્યોગસાહસિક રવિશંકરભાઈ ચૌધરીની પ્રેરણાદાયી સફર
Studio On Wheels: રોટલાના પ્રસાદનું અનોખું વિતરણ
રોટલિયા હનુમાનજીને અર્પણ કરેલા રોટલાનું અનોખીરીતે વિતરણ કરવામાં આવે છે. આ રોટલાઓ રખડતા મૂંગા પશુઓ (Stray Animals), ગાયો, શ્વાનો અને વાંદરાઓને ખવડાવવામાં આવે છે. સ્નેહલભાઈએ આગામી પાટોત્સવમાં લાખો રોટલી-રોટલાઓ એકત્ર કરી વિશ્વ વિક્રમ (World Record) સ્થાપવાની તેમની ઈચ્છા છે.
APMC પાટણ: ખેડૂતોના હિતમાં ક્રાંતિકારી નિર્ણયો (Farmers Welfare)
એપીએમસીના ચેરમેન (Chairman) તરીકે સ્નેહલભાઈએ ત્રણ મુખ્ય લક્ષ્યો (Goals) પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે
ખુલ્લી હરાજી (Open Auction)- પારદર્શક રીતે ખેડૂતોના પાકની હરાજી.
સાચું તોલ અને સાચું મોલ (Accurate Weight & Price)- ખેડૂતને તેના પરસેવાનું યોગ્ય વળતર મળે તે સુનિશ્ચિત કરવું.
અંગદાન માટે પ્રોત્સાહન (Organ Donation)- જો કોઈ ખેડૂત પરિવાર અંગદાનનો નિર્ણય લે, તો એપીએમસી દ્વારા ૫ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
અયોધ્યા રામ મંદિર અને ભગવો રંગ
અયોધ્યામાં રામ મંદિરની (Ram Mandir Celebration) પ્રાણ પ્રતિષ્ઠા વખતે પાટણ એપીએમસીના તમામ વેપારીઓએ (Merchants) પોતાના ખર્ચે આખા બજારને ભગવા રંગથી રંગ્યું હતું, જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
સ્નેહલભાઈ પટેલની આ સફર સાબિત કરે છે કે રાજકારણ (Politics) એ માત્ર સત્તા મેળવવાનું સાધન નથી, પણ જો નેક દિલથી કરવામાં આવે તો તે સમાજ સેવાનું (Social Service) ઉત્તમ માધ્યમ બની શકે છે.
આ પણ વાંચો---- Studio On Wheels: મેક ઇન ઇન્ડિયાનું ગૌરવ, મહેસાણાની 'વિનસ' કંપની કેવી રીતે બની રોડ કન્સ્ટ્રક્શન મશીનરીની હબ!