Studio on Wheels: Mahesana ના તળેટી ગામની કમાલ, હરેશભાઈ પટેલની પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સીમાઓ વટાવી રાજસ્થાન-MP પહોંચ્યો
- 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ મહેસાણાના (Mahesana) તળેટી ગામ પહોંચી
- પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ પટેલે (Hareshbhai patel) પોતાની મહેનત અને સૂઝબૂઝથી ખેતીના ક્ષેત્રમાં એક નવો રાહ ચીંધ્યો
- મહેસાણાના પ્રગતિશીલ ખેડૂતનો પર્યાવરણ બચાવવાનો અનોખો સંકલ્પ
- હરેશભાઈ પટેલની પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સીમાઓ વટાવી રાજસ્થાન-MP પહોંચ્યો
ગુજરાત ફર્સ્ટની (Gujarat first) વિશેષ પહેલ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ મહેસાણા (Mahesana) જિલ્લાના પ્રવાસ દરમિયાન મહેસાણાના તળેટી ગામ પહોંચી હતી, જ્યાં પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ પટેલે (Hareshbhai patel) પોતાની મહેનત અને સૂઝબૂઝથી ખેતીના ક્ષેત્રમાં એક નવો રાહ ચીંધ્યો છે.
ઝેરમુક્ત ખેતીનો સંકલ્પ: આત્મા પ્રોજેક્ટની સફળતા
હરેશભાઈ પટેલે સરકારના 'આત્મા પ્રોજેક્ટ હેઠળ માર્ગદર્શન મેળવીને રાસાયણિક ખેતીનો ત્યાગ કર્યો છે. આજે તેઓ સંપૂર્ણપણે ગૌવંશ આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઝેરને ત્યજીને તેઓ ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા જમીનને પુનઃજીવિત કરી રહ્યા છે. આજે તળેટી ગામ માત્ર એક ગામ નથી પ્રાકૃતિક ખેતીની જીવંત પાઠશાળા બની ગયું છે.
મુખ્ય વિશેષતાઓ
હરેશભાઈ માત્ર પોતે જ ખેતી નથી કરતા, પરંતુ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યા છે. હરેશભાઈ અન્ય ખેડૂતોને મફત તાલીમ આપે છે, તેમના ખેતરમાં આવીને બતાવે છે કે કેવી રીતે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે અને જમીન વધુ ફળદ્રુપ બને
આશ્ચર્યની વાત કે ગુજરાતની સીમાઓ બહાર પણ આ પ્રેરણાનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે તેમની ખેતી પદ્ધતિ જોવા માત્ર ગુજરાત જ નહીં, પણ રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પણ ખેડૂતો તળેટી ગામની મુલાકાતે આવે છે.
ઓછા ખર્ચે વધુ નફો: પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતી ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને જમીનની ફળદ્રુપતા લાંબા ગાળે વધે છે.
હરેશભાઈનો સ્પષ્ટ અને હૃદયસ્પર્શી સંકલ્પ
હરેશભાઈનો સંકલ્પ ખૂબ જ સ્પષ્ટ અને હૃદયસ્પર્શી છે કે ખેતરનું સ્વાસ્થ્ય સુધરે, માણસનું સ્વાસ્થ્ય સુધરે, અને આપણી પૃથ્વીનું વધતું તાપમાન થંભે. એટલા માટે પ્રાકૃતિક ખેતી આજની સૌથી મોટી જરૂરિયાત છે!"હરેશભાઈનું માનવું છે કે જ્યારે ખેડૂત બજારના મોંઘા રસાયણો પર નિર્ભર રહેવાને બદલે પોતે ખાતર બનાવતો થશે, ત્યારે જ તે સાચા અર્થમાં આત્મનિર્ભર બનશે. તળેટી ગામ આજે પ્રાકૃતિક ખેતીની એક જીવંત પાઠશાળા બની ગયું છે, જે પર્યાવરણની જાળવણી સાથે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી રહ્યું છે.
હરેશભાઈની લડત અને પ્રેરણા
આત્મનિર્ભર ભારતનું સપનું ત્યારે જ સાકાર થશે, જ્યારે આપણો ખેડૂત આત્મનિર્ભર બનશે.પરંપરાગત ખેતીને બચાવવી, જમીનને જીવંત રાખવી અને આવનારી પેઢીને સ્વસ્થ ભોજન આપવું,એ જ હરેશભાઈની લડત અને પ્રેરણા છે.
આ પણ વાંચો: Studio On Wheels: યુવા ક્ષત્રિય ઠાકોર સેનાનું આગામી આયોજન? જુઓ અભિજીતસિંહ બારડ સાથે ખાસ સંવાદ


