Studio on Wheels: ઊંઝા APMC એ કેવી રીતે સ્થાપિત કર્યું વિશ્વભરમાં પોતાનું સામ્રાજ્ય? ચેરમેન દિનેશ પટેલના મહત્વના ખુલાસા
- સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio On Wheels) માં ઊંઝા APMC ના ચેરમેન Dinesh Patel સાથે ખાસ સંવાદ
- ભેળસેળિયા વેપારીઓને ઊંઝા APMC ના ચેરમેન દિનેશ પટેલ (Dinesh Patel) ની કડક ચેતવણી
- એશિયાના સૌથી મોટા મસાલા બજારની અકલ્પનીય સફર.
- ભારતના ત્રીજા ભાગના મસાલાનો વ્યાપાર એક જ જગ્યાએ!
ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નો 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) જ્યારે મહેસાણા (Mahesana) જિલ્લાની મુલાકાતે પહોંચ્યો, ત્યારે મસાલા સીટી ઊંઝા (Unjha) માં એશિયાની સૌથી મોટી એપીએમસી (APMC) ના ચેરમેન દિનેશ પટેલ (Dinesh Patel) સાથે એક વિશેષ અને પ્રેરણાદાયી સંવાદ યોજાયો હતો. આ સંવાદમાં 1954 થી શરૂ થયેલી ઊંઝા કૃષિ ઉપજ બજાર સમિતિની સફર અને તેની વૈશ્વિક પહોંચ વિશે અનેક મહત્વના ખુલાસા થયા હતા.
એશિયાના સૌથી મોટા મસાલા બજાર ઊંઝા APMCનો વિશ્વભરમાં ડંકો
ઊંઝા એપીએમસી આજે માત્ર ગુજરાત કે ભારત પૂરતું સીમિત નથી, પરંતુ વિશ્વભરના રસોડામાં પહોંચતા મસાલાનું મુખ્ય કેન્દ્ર છે. ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે, ભારતનો ત્રીજા ભાગનો મસાલાનો વ્યાપાર એકલા ઊંઝાથી થાય છે. અહીંથી વાર્ષિક 10,000 કરોડ રૂપિયાથી વધુનું એક્સપોર્ટ કરવામાં આવે છે. ખાસ કરીને ઊંઝાનું જીરું અને ઈસબગુલ સમગ્ર વિશ્વમાં મશહૂર છે.
ઈસબગુલનો 'અમેરિકન' ક્રેઝ અને જીરાનો રેકોર્ડ
આશ્ચર્યજનક બાબત એ છે કે, ઊંઝામાં આવતા કુલઈસબગુલનો 70 ટકા માલ એકલી અમેરિકન કંપનીઓ ખરીદે છે. આ ઉપરાંત, જીરાના માર્કેટમાં પણ ઊંઝાનો દબદબો છે. મંડીમાં એક જ દિવસમાંદોઢ લાખ જીરાની બોરી આવવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ નોંધાયેલો છે. બજારની શરૂઆત ઇઝરાયલ અને તુર્કીથી ઉત્તમ ગુણવત્તાના બિયારણો લાવીને કરવામાં આવી હતી, જે આજે વટવૃક્ષ બની ગઈ છે.
Studio on Wheels: Asiaની સૌથી મોટી Unjha APMCના Chairman Dinesh Patel સાથે સંવાદ | Gujarat First
Gujarat First નો Studio On Wheels પહોંચ્યો છે મસાલા સીટી ગણાતા Unjha માં. અહીં Unjha APMC ના ચેરમેન Shri Dinesh Patel સાથે એશિયાના સૌથી મોટા મસાલા બજારની સફર વિશે વિશેષ સંવાદ કરવામાં… pic.twitter.com/lClkcaAO8Q— Gujarat First (@GujaratFirst) February 5, 2026
30 એકરમાં બની રહી છે હાઈટેક મંડી
ખેડૂતો અને વેપારીઓની સુવિધા માટે ઊંઝા એપીએમસી હવે વિસ્તરણ કરી રહી છે. 30 એકર જમીનમાં એક અદ્યતન મંડી તૈયાર થઈ રહી છે, જેમાં કોઈપણ સીઝનમાં માલ બગડે નહીં તેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. ખેડૂતોને અહીં પારદર્શક રીતે ભાવ મળે છે અને તેમના માટે રહેવા-જમવા તેમજ નાસ્તાની ઉત્તમ સગવડ પણ પૂરી પાડવામાં આવે છે.
ભેળસેળ કરતા વેપારીઓને ચેરમેની ચેતવણી
બજારની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે એપીએમસી ખૂબ જ કડક છે. ચેરમેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "જે વેપારીઓ ભેળસેળ કરે છે, તેમને અમે મંડીમાં પ્રવેશવા જ દેતા નથી." ખાસ કરીને વરિયાળીના દાણા પર કલર કરી તેને જીરામાં ભેળવતા તત્વો સામે એપીએમસીએ લાલ આંખ કરી છે. શુદ્ધતા એ જ ઊંઝાની ઓળખ છે.
સહકારી ક્ષેત્ર: ગુજરાતની કરોડરજ્જુ
800થી વધુ મંડળીઓ અને વેપારીઓ સાથે જોડાયેલું આ બજાર ગુજરાતના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન છે. આગામી દિવસોમાં એગ્રો પ્રોડક્ટ્સ પર વધુ ધ્યાન આપીને ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય ચેરમેન દિનેશ પટેલે વ્યક્ત કર્યું હતું. 1954 માં રોપાયેલું આ બીજ આજે એશિયાનું સૌથી મોટું મસાલા બજાર બનીને ભારતનું ગૌરવ વધારી રહ્યું છે.
આ પણ વાંચો: Studio on Wheels: ઉદ્યોગપતિ-સમાજસેવક Babubhai Humbal સાથે Dr. Vivek Kumar Bhatt નો ખાસ સંવાદ


