Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Studio on Wheels: પ્લેબેક સિંગર અભિજીત ઘોષાલ સાથે ખાસ મુલાકાત, જાણો ડબિંગ અને સિંગિંગનો તફાવત

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલની અનોખી મુહિમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ''STUDIO ON WHEELS'' હેઠળ પ્લેબેક સિંગર અભિજીત ઘોષાલ (Abhishek Ghoshal) સાથે વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં અભિજીત ઘોષાલે પોતાની સંગીતની સફર, આધ્યાત્મિકતા અને ગુજરાત પ્રત્યેના પ્રેમ વિશે ખુલીને વાત કરી હતી.
studio on wheels  પ્લેબેક સિંગર અભિજીત ઘોષાલ સાથે ખાસ મુલાકાત  જાણો ડબિંગ અને સિંગિંગનો તફાવત
Advertisement
  • 'Studio on Wheels' હેઠળ પ્લેબેક સિંગર અભિજીત ઘોષાલ (Abhishek Ghoshal) સાથે વિશેષ મુલાકાત
  • અભિજીત ઘોષાલે પોતાની સંગીતની સફર, આધ્યાત્મિકતા અને ગુજરાત પ્રત્યેના પ્રેમ વિશે ખુલીને વાત કરી
  • "ગુજરાત આધ્યાત્મિક્તાનું સ્થાન છે,એટલા જ માટે ગુજરાત સફળ છે":અભિજીત ઘોષાલ
  • " 'સા.રે.ગા.મા.પા' ની સફર સંઘર્ષથી ભરેલી હતી":અભિજીત ઘોષાલ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલની અનોખી મુહિમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'  ''STUDIO ON WHEELS'' હેઠળ પ્લેબેક સિંગર અભિજીત ઘોષાલ (Abhishek Ghoshal) સાથે વિશેષ મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં અભિજીત ઘોષાલે પોતાની સંગીતની સફર, આધ્યાત્મિકતા અને ગુજરાત પ્રત્યેના પ્રેમ વિશે ખુલીને વાત કરી. પ્રયાગરાજમાં જન્મેલા અને મહારાષ્ટ્રને કર્મભૂમિ બનાવનાર અભિજીતે કહ્યું કે, "ગુજરાતના લોકો ખૂબ ધાર્મિક છે. આધ્યાત્મિક્તા આપણા લોહીમાં છે અને ગુજરાત આધ્યાત્મિક્તાનું સ્થાન છે. એટલા જ માટે ગુજરાત સફળ છે." તેમણે વધુમાં જણાવ્યું કે, ત્રિવેણી સંગમની પવિત્ર ભૂમિ પ્રયાગરાજથી તેમનો જન્મ છે, જ્યારે સંગીતની કર્મભૂમિ મહારાષ્ટ્ર છે.

Studio on Wheels માં પ્લેબેક સિંગર અભિજીત ઘોષાલ સાથે ખાસ મુલાકાત

સ્ટેટ બેંકમાં અધિકારી તરીકેની સુરક્ષિત નોકરી છોડીને સંગીતને કરિયર બનાવનાર અભિજીતે 'સા.રે.ગા.મા.પા.'ની સફરને સંઘર્ષથી ભરેલી ગણાવી. તેમણે સતત 11 એપિસોડ જીતીને રેકોર્ડ બનાવ્યો અને સ્વૈચ્છિક રીતે શો છોડ્યો હતો. તેમણે બોલિવૂડમાં અજય દેવગન અને સલમાન ખાનની ફિલ્મ 'લંડન ડ્રીમ્સ'માં ગીતો ગાયા છે, જ્યારે ગુજરાતીમાં તેમનું સ્વામિનારાયણ ભજન 'આજ મારે ઓરડે રે' યુટ્યૂબ પર 2.5 કરોડથી વધુ વ્યૂઝ મેળવી ચૂક્યું છે.

Advertisement

અભિજીતે આધ્યાત્મિક ગીતો પ્રત્યેના પ્રેમ વિશે શું કહ્યું?

અભિજીતે આધ્યાત્મિક ગીતો પ્રત્યેના પ્રેમ વિશે કહ્યું, "મને આધ્યાત્મિક ગીતો ખૂબ પસંદ છે. મારા આધ્યાત્મિક સોંગ પણ આવી રહ્યાં છે. કોઈ પણ સિંગર માટે ભગવાન સૂર છે. સૂર અને ભાવનાઓ સાથે ગીત રજૂ કરીએ છીએ." તેમણે ડબિંગ અને પ્લેબેક સિંગિંગનો તફાવત સમજાવતાં કહ્યું કે, "જે અવાજ ગીતોમાં ગુંજે અને પાત્રોમાં જીવ ભરે, એ જ સાચું સંગીત છે."

Advertisement

સોશિયલ મીડિયાને કારણે ટેલેન્ટ બહાર આવ્યું છે: અભિજીત ઘોષાલ

સોશિયલ મીડિયાના યુગ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, "પહેલાં વર્ષે 200 ગીતો બનતાં હતાં, હવે સપ્તાહે 200 ગીતો બને છે. સોશિયલ મીડિયાને કારણે ટેલેન્ટ બહાર આવ્યું છે." અંતમાં તેમણે કહ્યું, "જુઠ બીક તા હૈ, સચ ટીક તા હૈ."

'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'  ના ભાગરૂપે મુલાકાત

આ મુલાકાત ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ના ભાગરૂપે થઈ હતી, જે જનતાના આંગણે પહોંચીને સીધો સંવાદ કરી રહી છે. આ હાઇટેક મોબાઇલ સ્ટુડિયો ગુજરાતના 34 જિલ્લાઓમાં 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા કરીને સ્થાનિક પ્રશ્નો, ધર્મ-ધરોહર, વિકાસ અને ગ્રાઉન્ડ રિયાલિટી સુધીના મુદ્દાઓ પર નેતાઓ, અભિનેતાઓ, કલાકારો અને સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ કરી રહ્યું છે.

આ પણ વાંચો: Studio on Wheels: પોલીસ, AMC અને સિવિલ હોસ્પિટલના વડા એક જ મંચ પર, સુરક્ષા-સ્વાસ્થ્યના રોડમેપ પર ચર્ચા

Tags :
Advertisement

.

×